જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલા "ઓપરેશન સિંદૂર" માટે પીએમ મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરી છે. તેમણે તેને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી છે. કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ સેનાના કામના વખાણ કર્યા હતા. તો તમામ મંત્રીઓએ પીએમ મોદીને "ઓપરેશન સિંદૂર" માટે શુભેચ્છાઓ આપી હતી.
કેબિનેટ બેઠક બાદ પીએમ મોદીનું પ્રથમ નિવેદન













