જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને જવાબ આપી દીધો છે. આ હુમલા બાદ દેશમાં કેટલીક જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યુ છે.ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના કચ્છમાં એલર્ટ અપાયું છે.રાજકોટ-ભુજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર મુકાયુ છે. જામનગર એરપોર્ટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


જામનગર આવન-જાવન કરતી તમામ ફ્લાઇટ કેન્સલ

જામનગરમાં એરપોર્ટ બંધ કરી દેવાયું છે. તે ઉપરાંત એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઈટો પણ રદ કરી દેવાઈ છે. જામનગર એરપોર્ટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એરપોર્ટ પર આવતા તમામ વાહનચાલકોનું ચેકિંગ શરૂ કરાયુ છે. પોલીસે સઘન ચેકિંગ શરૂ કરીને વાહન ચાલકોની પુછપરછ પણ શરૂ કરી છે. આ ઉપરાંત જામનગરના કોસ્ટલ એરિયામાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે.

દરિયાઈ વિસ્તારમાં પણ મરીન પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું

જામનગરમાં દરિયાઈ વિસ્તારમાં પણ મરીન પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસે બોટમાં ચેકિંગ શરૂ કર્યુ છે. દરિયાઈ પટ્ટી પર થતી અવર જવર પર ચાંપતી નજર રાખવામાં આવી છે. જામનગર SOG, મરીન પોલીસ તથા મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો સાથે દરિયાઈ વિસ્તારમાં સમુદ્રમાં સંયુક્ત બોટ પેટ્રોલિંગ અને બોટ ચેકીંગની કામગીરી શરૂ કરાઈ છે.


  • Follow us on: