• પાકિસ્તાની આતંકવાદીઓ સામે મોટાપાયે કાર્યવાહી
  • SIU ચાર આતંકવાદીઓના ઘરો પર દરોડા પાડયા
  • કિશ્તવાડ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા

જમ્મુ-કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) એ બુધવારે (24 મે) કિશ્તવાડ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમા ચાર આતંકવાદીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ ચારેય આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે અને ત્યાંથી આતંકવાદી ગતિવિધિઓ કરે છે. જમ્મુમાં એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ખલીલ અહેમદ પોસવાલે જણાવ્યું હતું કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળના કેસમાં કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવ્યા બાદ પડ્ડેર, કેશવાન અને ઠકરાઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

5 આતંકવાદીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા
આ પહેલા 18 મેના રોજ એસઆઈયુની ટીમે પાંચ આતંકીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી આતંકવાદી ગતિવિધિઓ કરે છે. આ ઉપરાંત જિલ્લામાં ત્રણ શંકાસ્પદ લોકોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

23 આતંકવાદીઓ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું
પોસવાલે કહ્યું કે દરોડામાં મળેલા પુરાવાનો ઉપયોગ તેના પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી કૃત્યોમાં સંડોવણીનો આરોપ લગાવવા માટે કરવામાં આવશે. 26 એપ્રિલના રોજ, જમ્મુની વિશેષ NIA કોર્ટે કિશ્તવાડના 23 આતંકવાદીઓ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેઓ સરહદ પારથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા.

આતંકવાદીના માર્ગ 36 લોકો પાકિસ્તાન ગયા- SSP
આ પહેલા પણ જિલ્લાના 13 આતંકવાદીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. SSPએ કહ્યું કે કિશ્તવાડમાંથી 36 લોકો આતંકવાદના રસ્તે પાકિસ્તાન ગયા હતા. તપાસ દરમિયાન આતંકવાદી ગતિવિધિઓમાં તેની સંડોવણી મળી આવતા તેની સામે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

  • Follow us on: