રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે છ એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AEW&C) જેને નેત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની ખરીદી માટે RFI રાઈટ ફોર ઈન્ફોર્મેશન જારી કર્યું છે. ભારતીય વાયુસેના અને DRDO સંયુક્ત રીતે નેત્રા એરક્રાફ્ટના 6 માર્ક-1એ તેમજ 6 માર્ક-2 વર્ઝન વિકસાવી રહ્યા છે. આમાંથી ત્રણ નેત્ર વિમાન પહેલેથી જ બનાવવામાં આવ્યા છે.
નેત્રા એરક્રાફ્ટ આધુનિક ટેકનોલોજીથી સજ્જ
AEW&Cનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા અંતરના રડારને શોધવાનો છે, જેમાં રડાર, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ, કોમ્યુનિકેશન સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ, બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ અને ડેટા લિંક દ્વારા નેટવર્કિંગનો સમાવેશ થાય છે.
વાયુસેના અને DRDO કરી રહ્યા તૈયાર
ભારતીય વાયુસેનાને એવા એરક્રાફ્ટની જરૂર છે જેમાં જેટ એન્જિન હોય, 40,000 ફૂટ અને તેનાથી વધુની ઊંચાઈ જાળવી શકે, નવીનતમ નેવિગેશન સિસ્ટમ હોય અને મેક 0.7 કરતા વધુની ક્રૂઝ સ્પીડ સાથે ઓછામાં ઓછા આઠ કલાક સુધી ઉડી શકે. તેમજ એરફોર્સની જરૂરિયાત મુજબ નવા નેત્રા એરક્રાફ્ટની રડાર સિસ્ટમ 360-ડિગ્રી કવરેજ હોવી જોઈએ. વાયુસેના અને DRDO સંયુક્ત રીતે નેત્રાની તૈયાર કરી રહ્યા છે.
વાયુસેનાનું નેત્રા એરક્રાફ્ટ એ એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW&C) એરક્રાફ્ટ છે. જેને આકાશમાં ભારતની આંખ કહેવામાં આવે છે.
- આ એરક્રાફ્ટ દુશ્મનના વિમાનો અને આકાશમાં હાજર અન્ય ઉડતી વસ્તુઓને શોધી કાઢે છે.
- આ માહિતી એકત્ર કર્યા બાદ તે તેની સાથે ઉડતા ફાઈટર પ્લેન્સને માહિતી આપે છે, જેથી તે સંભવિત ખતરાનો સામનો કરી શકે.
- તે એરક્રાફ્ટ, મિસાઇલ, જહાજો અને વાહનોને ટ્રેક અને શોધી શકે છે.
- આ એરક્રાફ્ટ ડાયરેક્ટ કમાન્ડ આપી શકે છે
- ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ બે નેત્રા એરક્રાફ્ટ છે. હવે આ સિવાય છ વધુ નેત્રા એરક્રાફ્ટ બનાવવાની યોજના છે.
- તેમાં સ્વદેશી રીતે વિકસિત એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન એરે (AESA) રડાર સિસ્ટમ છે.
- તેમાં કોમ્યુનિકેશન સપોર્ટ મેજર સિસ્ટમ અને રેકોર્ડ ઈન્ટરસેપ્શન કોમ્યુનિકેશન છે.
- તેમાં એરક્રાફ્ટની અંદર સેલ્ફ-પ્રોટેક્શન સૂટ પણ છે.
- આ એરક્રાફ્ટને હવામાં રિફ્યુઅલ કરી શકાય છે
- આ એક એવું એરક્રાફ્ટ છે જે આકાશમાં રહે છે અને દુશ્મનની દરેક હિલચાલ પર નજર રાખે છે.
- દુશ્મન બોર્ડર પર કોઈપણ પ્રકારની ગેરરીતિ અંગે સેનાને જાણ કરે છે.
- નેત્રા એક હળવા વજનનું એરક્રાફ્ટ છે જે સર્વેલન્સ માટે બનાવવામાં આવ્યું છે.