રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ઘણા રાજ્યોના રાજ્યપાલોની નિમણૂક કરી છે. તેમણે રાજ્યપાલોની નિમણૂકો પર ખુશી વ્યક્ત કરી છે. આ તમામ નિમણૂંકો તેઓ પોતપોતાની કચેરીનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે.


અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા

રાષ્ટ્રપતિના કાર્યકાળ મુજબ રાષ્ટ્રપતિએ ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસનું રાજીનામું સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિએ ભૂતપૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ રાજ્યોના રાજ્યપાલોને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા

આ સિવાય કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને હવે બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન જનરલ ડૉ. વિજય કુમાર સિંહ, PVSM, AVSM, YSM (નિવૃત્ત)ને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

5 રાજ્યના રાજ્યપાલ બદલાયા

  1. અજય ભલ્લા મણિપુરના રાજ્યપાલ બન્યા
  2. વી.કે.સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા
  3. આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલ બન્યા
  4. આર.વી.આર્લેકરની કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂક
  5. હરીબાબુ કંભમપતિ ઓડિશાના રાજ્યપાલ બન્યા

  • Follow us on: