- દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ વધી
- આ વર્ષે અત્યાર સુધીમાં આવી 12 ઘટનાઓ બની
- મુંબઈ-હાવડા મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ વધી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં આવી 12 ઘટનાઓ બની છે. આવા અનેક અકસ્માતો છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે ઝારખંડના સરાઈકેલા-ખારસાવાન જિલ્લામાં મુંબઈ-હાવડા મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.
મંગળવારે ઝારખંડના સરાઈકેલા-ખારસાવાન જિલ્લામાં મુંબઈ-હાવડા મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 18ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે માલગાડીની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી જે અન્ય ટ્રેક પર પડી હતી. દરમિયાન પાટા પર હાવડા-મુંબઈ મેલ આવી રહ્યો હતો. પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેનના ડબ્બા સાથે અથડાઈ હતી. જેના કારણે 18 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલવે તંત્રનું કહેવું છે કે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવી છે. જે આઠ લોકોને થોડી ઈજા થઈ છે તેમને પ્રત્યેકને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જીવ ગુમાવનારા બંને મુસાફરો ઓડિશાના રાઉરકેલાના રહેવાસી હતા. આવો જાણીએ આ વર્ષે અત્યાર સુધીમાં કેટલા રેલ્વે અકસ્માતો થયા છે અને ક્યાં થયા છે.
વર્ષ 2024માં આટલી રેલ દુર્ઘટના
- 17 ફેબ્રુઆરી 2024: આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીના ઝખીરામાં ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ લાંબા સમય સુધી ટ્રેક ખોરવાઈ ગયો હતો.
- 18 માર્ચ 2024: આ વર્ષે માર્ચ મહિનામાં, સાબરમતી આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. જેના કારણે પેસેન્જર ટ્રેનના એન્જિન અને ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત રાત્રે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેન એક જ ટ્રેક પર પહોંચી હતી. લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી, પરંતુ ત્યાં સુધીમાં અથડામણ થઈ ગઈ. સદ્ભાગ્યની વાત એ હતી કે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. જોકે ટ્રેક ખોરવાઈ ગયો હતો.
- 2 જૂન, 2024: પંજાબના ફતેહગઢ સાહિબમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો. અહીં બે માલગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. સરહિંદપુરના માધોપુર નજીક સર્જાયેલા આ અકસ્માતમાં બંને ટ્રેનના ડ્રાઈવરોને ઈજા થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રેનનું એન્જીન બીજી ટ્રેનના એન્જિન પર ચડી ગયું હતું.
- 17 જૂન, 2024: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડી રેલ્વે સ્ટેશનથી લગભગ 10 કિમી દૂર દાર્જિલિંગ જિલ્લાના રંગપાની રેલ્વે સ્ટેશન પાસે એક માલસામાન ટ્રેન કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. લગભગ 60 લોકો ઘાયલ થયા છે.
- 18 જુલાઈના રોજ, ચંદીગઢ-ડિબ્રુગઢ રેલ અકસ્માત, 4 લોકોના મોત, 31 ઘાયલ, યુપીના ગોંડા રેલ્વે સ્ટેશનથી ગોરખપુર થઈને ડિબ્રુગઢ જઈ રહેલી ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 14 બોગી પાટા પરથી ઉતરી અને પલટી ગઈ.
- 19 જુલાઈના રોજ, ગુજરાતના વલસાડમાં માલગાડીનો એક ડબ્બો ગુજરાતના વલસાડ અને સુરત સ્ટેશનો વચ્ચે ડુંગરી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયો હતો. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
- 20 જુલાઈના રોજ, યુપીના અમરોહામાં માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ગોંડામાં થયેલા અકસ્માતના ત્રણ દિવસ બાદ આ અકસ્માત થયો હતો.
- 21 જુલાઈએ રાજસ્થાનના અલવરમાં માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
- 21મી જુલાઈએ જ પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી.
- ઓડિશાના ભુવનેશ્વરમાં 26 જુલાઈએ ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી
- 29 જુલાઈએ બિહારના સમસ્તીપુરમાં બિહાર સંપર્ક ક્રાંતિના કોચ અલગ થઈ ગયા.
- આજે એટલે કે 30મી જુલાઈએ ઝારખંડના ચક્રધરપુરમાં હાવડાથી મુંબઈ જઈ રહેલી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.
વર્ષ 2023માં રેલ દુર્ઘટના
- 2 જાન્યુઆરી, 2023: રાજસ્થાનના મારવાડ જંક્શન રેલ્વે સ્ટેશનથી સવારે 3:27 વાગ્યે ઉપડ્યાની પાંચ મિનિટ પછી, સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં દસ લોકો ઘાયલ થયા છે.
- 15 મે 2023: બેંગલુરુ તરફ જઈ રહેલી ચેન્નઈ-બેંગલુરુ ડબલ ડેકર એક્સપ્રેસનો એક કોચ સવારે 11:30 વાગ્યે બિસનટ્ટમ સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયો. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
- 2 જૂન, 2023: ઓડિશામાં માલસામાન ટ્રેન, કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એસએફ એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો અથડાઈ. આ અકસ્માતમાં 296 લોકોના મોત થયા હતા.
- 8 જૂન, 2023: ઉટીથી મેટ્ટુપલયમ જતી 4 કોચવાળી નીલગિરી માઉન્ટેન રેલ્વેની છેલ્લી બોગી લગભગ 3 વાગ્યે કુન્નુર સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
- 9 જૂન, 2023: વિજયવાડા-ચેન્નઈ સેન્ટ્રલ જન શતાબ્દી એક્સપ્રેસનો એક કોચ, ચેન્નાઈ સેન્ટ્રલથી શેડ તરફ પાછો જતો હતો, લગભગ 2:30 વાગ્યે બેસિન બ્રિજ સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયો.
- 11 જૂન, 2023: ચેન્નાઈ સેન્ટ્રલથી તિરુવલ્લુર જતી ચેન્નઈ ઉપનગરીય લોકલ ટ્રેનનો છેલ્લો કોચ સવારે બેસિન બ્રિજ સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયો.
- 25 જૂન 2023: પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના ઓંડાગ્રામ રેલ્વે સ્ટેશન પર સવારે લગભગ 4:00 વાગ્યે એક માલગાડી પાછળથી આવતી બીજી માલગાડી સાથે અથડાઈ. લોકો પાઇલટ અને કો-લોકો પાઇલટ પર સિગ્નલ તોડવાનો આરોપ હતો.
- 11 ઓક્ટોબર 2023: રાત્રે લગભગ 9:50 વાગ્યે, આનંદ વિહાર ટર્મિનલ-કામખ્યા જંક્શન નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 6 ડબ્બા બિહારના બક્સર જિલ્લામાં રઘુનાથપુર રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે.
- 29 ઓક્ટોબર 2023: રાત્રે 9:02 વાગ્યે, વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં કોટ્ટાવલાસા જંકશન રેલ્વે સ્ટેશન નજીક વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈને પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા હતા.
- 31 ઓક્ટોબર 2023: દિલ્હીના ગાઝીપુર શહેરથી આનંદ વિહાર જતી સુહેલદેવ સુપરફાસ્ટ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પાટા પરથી ઉતરી ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.