22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત એક્ટિવ મોડમાં આવી ગયું છે. આ આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે અને આતંકીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી ફરવા માટે આવેલા પ્રવાસીઓ ડરી ગયા છે અને શક્ય તેટલી વહેલી તકે આ સ્થળ છોડવા માગે છે.


પહેલગામ સ્પેશિયલ ટ્રેનો શરૂ થઈ

ત્યારે આ આતંકી હુમલા પછી સરકારે ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉત્તર રેલ્વે દ્વારા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે. જેથી મુસાફરો શક્ય તેટલી વહેલી તકે આરામથી તેમના ઘરે પહોંચી શકે. હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ તેમજ રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેથી, ભારતીય રેલ્વેએ કાશ્મીરમાં ફસાયેલા મુસાફરોને રાહત આપવા માટે કતારથી દિલ્હી સુધીની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે. શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. મુસાફરો માટે આ ટ્રેન 23 એપ્રિલ 2025થી શરૂ થઈ છે, આ એક પ્રકારની સ્પેશિયલ ટ્રેન છે જે કટરાથી નવી દિલ્હી જશે. તે રાત્રે 9.20 વાગ્યે ઉપડશે, આ ટ્રેન ઉધમપુર અને જમ્મુ તાવી સ્ટેશનો પર પણ રોકાશે. જે સવારે 9.30 વાગ્યે દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચશે.

રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના નિર્દેશ બાદ 4 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ બંનેનો રૂટ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈનો રહેશે. ખીણમાં ફસાયેલા મુસાફરો માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે આ ટ્રેનોના સમયપત્રક અને ટિકિટ બુકિંગ વિશે માહિતી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ અને IRCTC પોર્ટલ દ્વારા મેળવી શકો છો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય રેલ્વેએ ઘણી સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે. આ સાથે, મુસાફરોને રાહત આપવા માટે ઘણા જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણા પૂછપરછ કાઉન્ટર અને ટિકિટ બુકિંગ કાઉન્ટર ખોલ્યા છે. આ ઉપરાંત, રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

  • Follow us on: