રાજસ્થાનના મેવાડના કૃષ્ણધામ સાંવલિયા શેઠના ભંડારમાંથી રેકોર્ડ 19 કરોડ 45 લાખ રૂપિયા નીકાળવામાં આવ્યા છે. આ સાથે ભક્તો દ્વારા 320 ગ્રામ 240 મિલિગ્રામ સોનું અને 95 કિલો 689 ગ્રામ 500 મિલિગ્રામ ચાંદી પણ ચઢાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 5 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે. આ દાનની રકમ ઓગસ્ટ મહિનાની છે.
હવે મંદિરમાં નાની નોટો અને સિક્કાઓ ગણવાના બાકી છે. વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ ગણતરી કરવામાં આવશે. આ દાનની રકમ અત્યાર સુધીની સૌથી વધુ છે. મંદિરમાં દાનની રકમ દર મહિને ગણવામાં આવે છે.













