₹29 કરોડના ખર્ચે અને 16 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય' આજે આઝાદીના અમર ઇતિહાસનું કેન્દ્ર બન્યું છે. જેમના શબ્દોએ અંગ્રેજ હકૂમતને હચમચાવી હતી, તેવા મેઘાણીજીની જીવનયાત્રાને અહીં આઠ વિશેષ ઝોનમાં કંડારવામાં આવી છે. નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ જગાવતું આ આધુનિક મ્યુઝિયમ આપણી ધરોહરને કેવી રીતે જીવંત કરી રહ્યું છે.
ચોટીલાના હાર્દ સમાન આ ભવન બે માળમાં પથરાયેલું છે
અહીં મેઘાણીજીનું બાળપણ, કલકત્તાના સંસ્મરણો અને 'સૌરાષ્ટ્રની રસધાર' જેવી અમર સાહિત્યિક કૃતિઓને કલાત્મક રીતે પ્રદર્શિત કરાઈ છે. ખાસ કરીને ધોલેરા સત્યાગ્રહ અને ગાંધીજી દ્વારા અપાયેલા 'રાષ્ટ્રીય શાયર'ના બિરુદની ઐતિહાસિક ક્ષણો મુલાકાતીઓને સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષની અનુભૂતિ કરાવે છે.













