• બે દિવસીય બેઠક દરમિયાન ધાર્મિક કાર્યક્રમમાં પણ જોડાયા
  • કોઝિકોડમાં અમૃતશતમ વ્યાખ્યાનમાં ભાગ લીધો
  • કેરળની મુલાકાતમાં અનેક સંસ્થાઓની મુલાકાત પણ લીધી

સંઘ સુપ્રીમો મોહન ભાગવત કેરળની મુલાકાત માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેરળના જાણીતા પદ્મનાભ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેઓ વહેલી સવારે મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન વિષ્ણુંની અનંત શયનમ મૂર્તિની પૂજા કરી હતી. દર્શન કર્યા હતા. ઑક્ટોબર મહિનાથી તેઓ કેરળમાં છે એવું સુત્રનું કહેવું છે. તેઓ સંઘના કાર્યકર્તાઓ તથા કેટલાક નેતાઓ સાથે બેઠક કરવા માટે કેરળની મુલાકાતે આવ્યા હતા.

એકબીજા સાથે જોડાયેલા છીએ આપણે

ભગવાન વિષ્ણુંના જાણીતા મંદિરમાં પદ્મનાભ મંદિરનો સમાવેશ થાય છે. ભાગવતે કેરળમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન વિજ્ઞાન પર પોતાના વિચારો વ્યક્ત કરતા ભાગવતે કહ્યું કે સંઘ હિન્દુઓને સંગઠિત કરે છે કારણ કે આપણે બધા હિન્દુ છીએ. આપણી પોતાની ભાષાઓ છે, આપણી પોતાની પૂજા પ્રણાલી છે, આપણી પોતાની જાતિઓ અને પેટા જાતિઓ છે. ઘણા બધા ધર્મો છે. જીવન જીવવાની ઘણી રીતો છે. બધું અલગ છે, તેમ છતાં અનાદિ કાળથી આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વિવિધતા વધે છે. એક ભાષા અનેક ભાષાઓ બની જાય છે. આ કુદરતી ક્રમમાં થાય છે.

સંગઠિત સમાજ દેશનો વિકાસ કરી શકે

તેમ છતાં, અમે સાથે છીએ. શા માટે? કારણ કે આ આપણી સંસ્કૃતિ છે; આ આપણી સંસ્કૃતિના રંગો છે. આ ભૂમિ પર, અમે દરેક માટે પ્રદાન કરીએ છીએ, દરેક વિવિધતાને સ્વીકારીએ છીએ અને દરેક વિવિધતાનો આદર કરીએ છીએ. અમે તેને અમારી માતા માનીએ છીએ, અને અમે તેને અમારી માતા તરીકે પૂજીએ છીએ. તે તમામ જાતિઓ, તમામ ભાષાઓ, તમામ ધર્મોમાં સામાન્ય છે. આપણા ડીએનએ સમાન છે. અમે બધા એક. આ આપણી માતૃભૂમિ છે. આપણા ધાર્મિક સંપ્રદાયો જુદા છે. હિન્દુ સમાજ સંગઠિત હોવો જોઈએ કારણ કે સંગઠિત સમાજ જ સમૃદ્ધ દેશનું નિર્માણ કરે છે. આ પહેલા મોહન ભાગવતે અહીંના પ્રખ્યાત શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

  • Follow us on: