- કલ્લાકુરિચીમાં કથિત રીતે ઝેરી દારૂ પીતા 30ના મોત
- જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે કરી પુષ્ટિ
- ઝેરી દારૂ વિતરણ કરનારની ધરપકડ
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 30 લોકોના મોત થયા છે. જ્યારે 100 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા.
દારૂમાં જીવલેણ મિથેનોલ મળ્યો
આ કેસમાં 49 વર્ષીય ગેરકાયદે દારૂ વેચનાર કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ 'મિથેનોલ' છે.
એમ.કે સ્ટાલિને દુઃખ વ્યક્ત કર્યુ
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટનાને પગલે શોક વ્યક્ત કર્યો છે . તેમણે કહ્યું કે કલ્લાકુરિચીમાં ભેળસેળવાળો દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ જણાવ્યું કે જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. તમિલનાડુના ગવર્નર આરએન રવિએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.
રાજ્યપાલે વ્યક્ત કર્યુ દુઃખ
રાજ્યપાલે રાજ્યના જુદા જુદા ભાગોમાંથી નકલી દારૂના સેવનને કારણે મૃત્યુના સતત અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સમય-સમય પર, અમારા રાજ્યના વિવિધ ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુના અહેવાલો સામે આવે છે. તેઓ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વપરાશને રોકવામાં સતત ખામીઓને પ્રતિબિંબિત કરે છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.