• કોઠાકોટામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 5 લોકોના મોત
  • સમગ્ર ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વણપરતી જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા

તેલંગાણાના વાનપર્થી જિલ્લાના કોઠાકોટામાં એક વિશાળકાઇ વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. 


મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે તેલંગાણાના વાનપર્થી જિલ્લાના કોઠાકોટા નજીક ટેકલૈયા દરગાહ પર એક માર્ગ અકસ્માતમાં 3 બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ ભયાનક માર્ગ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો એક જ પરિવારના હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે અકસ્માત ત્યારે થયો જ્યારે પીડિતોને લઈ જઈ રહેલી કાર રસ્તાની બાજુમાં એક ઝાડ સાથે અથડાઈ.

આ કાર બેલ્લારીથી હૈદરાબાદ જઈ રહી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે વણપરતી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી ચાર લોકોની હાલત ગંભીર હોવાથી તેમને કુર્નૂલ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન કોઠાકોટા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Follow us on: