વૃદ્ધાએ અનાથ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રશંસનીય નિર્ણય લીધો છે. તેણે તિરુપતિ મંદિરમાં પોતાના જીવનની પૂંજી દાન કરી છે. મંદિર ટ્રસ્ટને 50 લાખ રૂપિયા દાન કરીને ભગવાનના આશિર્વાદ લીધા છે. આ ડોનેશન અનાથ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે કરવામાં આવ્યુ છે. 70 વર્ષિય મહિલાઓ 35 વર્ષથી કરેલી સેવિંગ મંદિર ટ્રસ્ટને દાન કરી છે. તિરુપતિ બાલાજી મંદિરમાં અવાર-નવાર કરોડોનું અને વાળનું દાન કરવામાં આવે છે. ત્યારે આ ડોનેશન ખાસ બાળકો માટે કરાયુ હોવાથું ચર્ચાનો વિષય બન્યો છે.
વૃદ્ધાનો અનાથ બાળકો માટે નિર્ણય
70 વર્ષીય મહિલાએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વેંકટેશ્વર સર્વ શ્રેયસ બાલમંદિર ટ્રસ્ટને 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ તેમની 35 વર્ષની કુલ બચત હતી. રેનિગુન્ટાના સી મોહનાએ કોસોવો, અલ્બેનિયા, યમન, સાઉદી અરેબિયા અને ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ ક્ષમતાઓમાં વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં કામ કરતી વખતે પોતાની બચતમાંથી આ રકમ દાનમાં આપી છે. મંદિર સંસ્થા તરફથી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, 'સિત્તેર વર્ષની વયના દાતા મોહને ટીટીડી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનાથ અને ગરીબ બાળકોના કલ્યાણ માટે વિવિધ ક્ષમતાઓમાં સેવા આપતા છેલ્લા 35 વર્ષમાં બચાવેલા દરેક પૈસાનું દાન કર્યું. તેમણે દાનની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટના રૂપમાં તિરુમાલા ખાતે ટીટીડીના એડિશનલ એક્ઝિક્યુટિવ ઓફિસર સીએચ વેંકૈયા ચૌધરીને મોકલી હતી. ટીટીડી તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરનો સત્તાવાર રક્ષક છે. આંધ્રપ્રદેશમાં તિરુપતિ નજીક તિરુમાલાની ટેકરી પર ભગવાન વેંકટેશ્વરનું મંદિર છે. ભગવાન વેંકટેશ્વરને વેંકટચલાપતિ અથવા શ્રીનિવાસ બાલાજી તરીકે પણ ઓળખવામાં આવે છે.
તિરુપતિ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ વિશે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. એક અંદાજ મુજબ, મંદિરની કુલ સંપત્તિ 37,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પરંતુ વાર્ષિક પ્રસાદ અને આવકની વાત કરીએ તો, આ મંદિરને સત્તાવાર રીતે સૌથી ધનિક હિન્દુ મંદિર કહેવામાં આવે છે.