આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં ટોકન લેવા લાઇનમાં ઉભા રહેલા લોકોમાં નાસભાગને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવો જાણીએ તિરુપતિમાં કેવી રીતે થાય છે દર્શન. ટોકન વ્યવસ્થા તથા વીઆઇપી અને સામાન્ય દર્શન વ્યવસ્થા કેવી હોય છે. આવો જાણીએ.


શેના માટે છે ટોકન વ્યવસ્થા ?

તિરુપતિ મંદિરની વ્યવસ્થાનું કામ કાજ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના હાથમાં છે. તિરુમાલા મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના હાથમાં છે. આ એક સ્વાયત્ત સંસ્થા છે. ફક્ત મંદિર જ નહીં, ટીટીડી આસપાસના વિસ્તારના વહીવટ અને જાળવણી માટે પણ જવાબદાર છે. ટીટીડી 10 જાન્યુઆરીથી વૈકુંઠ એકાદશી નિમિત્તે વૈકુંઠ દ્વાર દર્શનમનું આયોજન કરી રહ્યું છે. આ દર્શન 19 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ માટે ખાસ ટોકન સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે હાલમાં મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચે છે.

ભીડને ધ્યાનમાં રાખીને, મંદિરમાં આઠ સ્થળોએ 94 કાઉન્ટર ઉભા કરીને અગાઉથી ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફક્ત ટોકન દ્વારા જ વૈકુંઠ દ્વાર જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફક્ત 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ આ દર્શન માટે એક લાખથી વધુ ટોકન જાહેર કરવામાં આવનાર છે. આ કારણે ભેગા થયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

સામાન્ય દિવસોમાં કેટલા હોય છે શ્રદ્ધાળુઓ?

  • સામાન્ય દિવસોમાં તિરુપતિ બાલાજી મંદિરના દરવાજા ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે સવારે 3 વાગ્યે ખુલે છે. અહીં બપોરે 1.30 વાગ્યા સુધી દર્શન ઉપલબ્ધ છે. આ પછી મંદિરના દરવાજા એક કલાક માટે બંધ કરી દેવામાં આવે છે. બપોરે 2.30 વાગ્યે દરવાજા ફરી ખુલે છે અને રાત્રે 9.30 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લા રહે છે.
  • ટીટીડીની વેબસાઇટ પર જણાવાયું છે કે સામાન્ય દિવસોમાં પણ દરરોજ 60 થી 80 હજાર ભક્તો અહીં દર્શન માટે આવે છે. સામાન્ય ભક્તો માટે દર્શનની વ્યવસ્થા છે, જે સંપૂર્ણપણે મફત છે. આવા ભક્તો વૈકુંઠધામ ક્યૂ કોમ્પ્લેક્સ II ખાતે પોતાનો વારો આવે તેની રાહ જુએ છે.
  • ઝડપી દર્શન દર્શન એટલે કે વિશેષ પ્રવેશ દર્શનની પણ વ્યવસ્થા છે. આ અંતર્ગત ભક્તો પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા ફી ચૂકવીને દર્શનના ત્રણ કલાક પહેલા ટિકિટ મેળવી શકે છે. આ ટિકિટો ટીટીડી વેબસાઇટ, ઇ-દર્શન કાઉન્ટર અને ભારતીય પોસ્ટ ઓફિસ પર ઉપલબ્ધ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ભક્તો પણ આ ટિકિટો એપી ઓનલાઈન અને ટીએસઓનલાઈન કેન્દ્રો પરથી મેળવી શકે છે.

VVIP દર્શન ક્યારે કરી શકાય?

  • મંદિરમાં VVIP દર્શનની પણ વ્યવસ્થા છે. આ માટેની વ્યવસ્થા નિયમિત દર્શન સમય વચ્ચે કરવામાં આવે છે જે સવારે 6 થી 7, સવારે 9 થી 10 અને સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધી હોઈ શકે છે. આ
  • ભક્તે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ખાસ દાનની રકમ ચૂકવવી પડશે. મીડિયા રિપોર્ટ્સમાં આ રકમ પ્રતિ વ્યક્તિ 500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની હોવાનું જણાવાયું છે. એવું કહેવાય છે કે જે લોકો આટલું દાન કરે છે તેમને કોઈ પણ સમસ્યા વિના દર્શનની ટિકિટ મળે છે. આ માટે પહેલા TTD વેબસાઇટ પર નોંધણી કરાવવી પડે છે. પછી તિરુમાલાના ગોકુલમ ખાતે સ્થિત JEO કેમ્પ ઓફિસમાં જવાનુ હોય છે ત્યાં જઇને અલગ કાઉન્ટર પર દાન આપીને ટિકિટ મેળવી શકાય છે.

મંદિરના કેટલા છે દરવાજા ?

  • તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં અનેક પ્રવેશદ્વાર છે. તેના નામ પણ અનોખા છે. સાથે જ કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે.
  •  મહાદ્વારમ અથવા મુખ્ય દરવાજો મંદિર સંકુલની પૂર્વમાં આવેલું છે. તેને અન્નમાચાર્ય પ્રવેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • બાંગારુ વકીલી અથવા સુવર્ણ પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે આવેલું છે. તેને સ્વામી પુષ્કરિણી દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પવિત્ર જળાશય સ્વામી પુષ્કરિણી તરફ દોરી જાય છે. વૈકુંઠ દ્વારમ મંદિરની ઉત્તરે આવેલું છે અને તેને વૈકુંઠ એટલે કે સ્વર્ગનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આ દરવાજો ફક્ત ખાસ પ્રસંગોએ જ ખોલવામાં આવે છે.
  • નદીમીપાધામુ મંદિરના ઉત્તરપશ્ચિમમાં આવેલું છે અને ભગવાન વેંકટેશ્વર દ્વારા છોડવામાં આવેલા પગના નિશાનો પરથી તેનું નામકરણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
  • સર્વ દર્શન દ્વાર મંદિરની પશ્ચિમે આવેલું છે, જેનો ઉપયોગ ભક્તો સામાન્ય દર્શન માટે કરે છે.
  • છઠ્ઠો પ્રવેશદ્વાર મંદિરના ઉત્તરપશ્ચિમમાં આવેલો છે. જેનો ઉપયોગ VIP, દાતાઓ અને ખાસ મહેમાનો દ્વારા કરવામાં આવે છે.
  • અની મુતંગી સેવા પ્રવેશદ્વાર મંદિરના ઉત્તર-પૂર્વમાં આવેલું છે, જેનો ઉપયોગ ભક્તો દ્વારા ખાસ પૂજા માટે અની મુતંગી સેવા ટિકિટ ખરીદતા હોય છે.

કેવી રીતે જઇ શકો બાલાજી ?

  • તિરુપતિ બાલાજીના દર્શન માટે દેશના વિવિધ ભાગોમાંથી રેલવે, માર્ગ વ્યવહાર અને હવાઈ માર્ગે જઈ શકાય છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો ત્યાંથી તિરુપતિ માટે સીધી ટ્રેનો છે. આ ટ્રેનો લગભગ 2120 કિલોમીટરનું અંતર કાપે છે. તિરુપતિએ તિરુમાલા મંદિરનું સૌથી નજીકનું સ્ટેશન છે.
  • આ ઉપરાંત ટ્રેન દ્વારા ચેન્નાઈ જઈ શકાય છે અને પછી રોડ માર્ગે આગળ વધી શકાય છે. ચેન્નાઈથી તિરુપતિનું રોડ માર્ગે અંતર લગભગ 140 કિમી હોવાનું કહેવાય છે.
  • તિરુપતિ સુધી હવાઈ મુસાફરીની પણ સારી સુવિધા છે. દિલ્હીથી તિરુપતિ અને નજીકના એરપોર્ટ માટે ફ્લાઇટ્સ સરળતાથી ઉપલબ્ધ છે.
  • તિરુપતિ બાલાજી મંદિરની સૌથી નજીક તિરુપતિ એરપોર્ટ છે. મંદિરથી તેનું અંતર 13 કિલોમીટર છે.
  •  આ ઉપરાંત, ચેન્નાઈ એરપોર્ટ, બેંગલુરુ એરપોર્ટ, તિરુચિરાપલ્લી એરપોર્ટ અને કોઈમ્બતુર એરપોર્ટ દ્વારા પણ બાલાજીની મુલાકાત લઈ શકાય છે.


  • Follow us on: