તમિલનાડુના તિરુવલ્લુરમાં મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ત્રણ પ્રવાસીઓની સ્થિતિ ગંભીર જણાવામાં આવી છે. તેઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે. આ અકસ્માતનું કારણ ટ્રેનને મેઈન લાઈનના બદલે લૂપ લાઈનમાં જવાનું છે. જે સમયે આ ટ્રેનને અકસ્માત નડયો એ સમયે તેની સ્પીડ આશરે 75 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ ટ્રેન મેઈન લાઈનમાં જવાને બદલે લૂપ લાઈનમાં ચાલી ગઈ હતી.
અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત
બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ જતાં ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેનના એક ડબ્બામાં પણ આગ લાગી હતી. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે વૉર રૂમમાં પહોંચીને રાહત અને બચાવ કાર્ય પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે સરકાર ઝડપથી રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
આ અકસ્માત રાત્રે 8.27 કલાકે થયો હતો
મળતી માહિતી અનુસાર, ચેન્નાઈ રેલવે વિભાગના પોનેરી-કાવરાપેટ્ટાઈ સેક્શનમાં એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચેની અકસ્માતમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. એલએચબી કોચ સાથેની ટ્રેન નંબર-12578 મૈસુરુ-ડિબ્રુગઢ દરભંગા બાગમતી એક્સપ્રેસ 11 ઓક્ટોબરે રાત્રે 8.27 વાગ્યે તિરુવલ્લુર જિલ્લામાં પોનેરી સ્ટેશન ક્રોસ કર્યા પછી આગળ વધવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી, દક્ષિણ રેલવેએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "કવારપેટા સ્ટેશનમાં પ્રવેશ કરતી વખતે, ટ્રેન મળી એક જોરદાર આંચકો લાગ્યો અને ટ્રેન મુખ્ય લાઇનમાં જવાને બદલે લૂપલાઇનમાં ઘૂસી ગઈ અને ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ.
આ દુર્ઘટનામાં ટ્રેનનો સ્ટાફ સુરક્ષિત છે અને એક ડબ્બામાં આગ ફાટી નીકળી હતી, જેને ફાયર એન્જિનોએ કાબુમાં લીધી હતી. રેલ્વેએ જણાવ્યું કે રેલ્વે માર્ગના અસરગ્રસ્ત ભાગમાં ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. રેલ્વ શક્ય તેટલી વહેલી તકે અસરગ્રસ્ત રૂટ પર રેલ કામગીરી સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહી છે.આ અકસ્માતમાં ટ્રેનનો લોકો પાયલોટ સુરક્ષિત છે. અને એક કોચમાં આગ લાગી ગઈ હતી. જેને ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂ કરવામાં આવી હતી. રેલવેએ જણાવ્યું કે, રેલવે ટ્રેકમાં પ્રભાવિત ટ્રેનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. રેલવે દ્વારા જલ્દીથી અકસ્માતગ્રસ્ત ટ્રેનના કોચ પાટા પરથી હટાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેથી ફરી રાબેતા મુજબ ટ્રેન વ્યવહાર શરૂ થઈ જાય