- હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગમાં દોડધામ
- ઘટનામાં અનેક લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી
- અનેક મહિલાઓ અને બાળકોને એટાહ મેડિકલ કોલેજમાં દાખલ
ઉત્તર પ્રદેશના હાથરસના એક ગામમાં ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સત્સંગમાં અચાનક નાસભાગ મચી જવાથી 60થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી 100થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સત્સંગનું આયોજન સિકંદરરાવના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.













