UPના સંભલમાં દુષ્કર્મથી પીડિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર પીડિતા રાત્રે તેની માતા અને ભાઈ સાથે તેના ગામ જઈ રહી હતી. આ દરમિયાન યુવતીની ગોળી વાગી હતી. મૃતક યુવતીના પરિવારજનોનો આરોપ છે કે નરાધમોએ જ પીડિતાની હત્યા કરી છે. જો કે પોલીસના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી અને હત્યાના આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.
યુપીના સંભલ જિલ્લામાં સંભલમાં દુષ્કર્મથી પીડિતાની ગોળી મારીને હત્યા કરી હોવાની ઘટનાએ ચક્કચાર મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, બાઇક સવાર થઇને પીડિતા તેના ભાઈ અને માતા સાથે ઘરે જઈ રહી હતી. તે સમયે 2 નરાધમોએ ગોળી મારીને ક્રૂર હત્યા કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે બંને નામના આરોપીઓ સામે ગુનો નોંધી ઘટનાની તપાસ શરૂ કરી છે.













