• વરુણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડવા તૈયાર
  • શું ભાજપમાંથી ચૂંટણી લડશે કે સપા ?
  • ભાજપે પીલીભીતમાંથી નથી જાહેર કર્યા ઉમેદવાર

બીજેપીએ પીલીભીતથી કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે આ બેઠક પર શું ભાજપ વરુણ ગાંધીને ટિકિટ આપશે કે કેમ તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે સાંસદ સાંસદ વરુણ ગાંધીએ પીલીભીતથી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે.

પીલીભીતમાંથી ઉમેદવારી પત્રો ખરીદ્યા

વરુણ ગાંધીના નજીકના લોકોએ આજે પીલીભીતમાં ઉમેદવારી પત્રો ખરીદ્યા છે તેવી માહિતી મળી છએ. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે વરુણ ગાંધી સપાની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે અખિલેશને વરુણને ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ વરુણ ગાંધીના સંપર્કમાં નથી. બીજી તરફ દિલ્હીમાં સપાના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે જો ભાજપ વરુણની ટિકિટ કાપે છે તો અમે વિચાર કરી શકીએ છીએ.

શું ભાજપ આપશે ટિકિટ ?

વરુણ ગાંધી અવારનવાર પોતાના પક્ષ વિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારથી એવી ચર્ચા છે કે ભાજપ આ વખતે તેમની ટિકિટ કાપી શકે છે. એવી પણ ચર્ચા છે કે જો વરુણ ગાંધીની ટિકિટ નકારી કાઢવામાં આવે તો સપા તેમને મેદાનમાં ઉતારી શકે છે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં વરુણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પીલીભીતમાં 19મી એપ્રિલે મતદાન થશે. અહીં પ્રથમ તબક્કામાં મતદાન થશે

  • Follow us on: