• કેરળના વાયનાડમાં સતત મુશળધાર વરસાદ
  • અત્યાર સુધીમાં 93 લોકોના મોત
  •  115થી વધુ લોકો જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ

કેરળના વાયનાડમાં સતત મુશળધાર વરસાદ બાદ સોમવારે મોડી રાત્રે 4 સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ચાર ગામ મુંડક્કાઈ, અટ્ટમાલા, ચુરલમાલા અને નૂલપુઝાનો મોટો ભાગ ધોવાઈ ગયો છે. અહીં મુખ્ય માર્ગો, મકાનો, સરકારી હોસ્પિટલો અને પુલ પર પાણી ભરાયા છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ભૂસ્ખલનને કારણે કુલ 93 લોકોના મોત થયા છે અને 400 લોકો હજુ પણ લાપતા છે.

કેરળ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 115 થી વધુ લોકો જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના પર સેનાએ બચાવ અભિયાનની કમાન સંભાળી લીધી છે. લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવી રહ્યા છે.


ભૂસ્ખલન બાદ સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીં હાઈવે બંધ છે, અને SDRF અને NDRF ટીમો હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને સ્થળ પર બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.


  • Follow us on: