• ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામુ
  • લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજીનામુ
  • ચૂંટણી કમિશનર પદેથી રાજીનામુ આપતા અનેક સવાલ

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 2024 લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસ અગાઉ જ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે 9 માર્ચે રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. હવે ચૂંટણી આયોગમાં માત્ર મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર જ વધ્યા છે. ત્યારે આવો જાણીએ અરુણ ગોયલ કોણ છે અને ચૂંટણી આયોગ સુધી તેઓ કયા કયા કાર્યો અને વિભાગો સાથે જોડાયેલા હતા.

કોણ છે અરુણ ગોયલ?

  • અરુણ ગોયલ પંજાબ કેડરના 1985-બેચના IAS અધિકારી હતા.
  • તેઓ નવેમ્બર 2022 માં ભારતના ચૂંટણી પંચમાં જોડાયા હતા.
  • 7 ડિસેમ્બર, 1962ના રોજ પટિયાલામાં જન્મેલા અરુણ ગોયલે ગણિતમાં એમએસસી કર્યું છે.
  • પંજાબ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓમાં ટોપ કરવાનો રેકોર્ડ જાળવી રાખવા બદલ તેમને ચાન્સેલર મેડલ ઑફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યો હતો.
  • અરુણ ગોયલે ચર્ચિલ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લેન્ડમાંથી વિકાસ અર્થશાસ્ત્રમાં વિશિષ્ટતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
  • USAની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી, જ્હોન એફ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાંથી તાલીમ મેળવી છે.
  • 1985 બેચના IAS અધિકારી અરુણ ગોયલે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને એક દિવસ પછી ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી.
  • તેમની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, જેના પર કોર્ટે સરકારને પૂછ્યું હતું કે 'ઉતાવળનું કારણ' શું છે.
  • આ અરજીને પાછળથી વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે ફગાવી દીધી હતી. કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે બંધારણીય બેન્ચે આ મુદ્દાની તપાસ કરી હતી, પરંતુ અરુણ ગોયલની નિમણૂકને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

5 ડિસેમ્બર 2027 સુધીનો કાર્યકાળ હતો

અરુણ ગોયલનો કાર્યકાળ 5 ડિસેમ્બર 2027 સુધીનો હતો. જ્યારે રાજીવ કુમારનો કાર્યકાળ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીનો છે. તેમના પછી ગોયલ આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનવા જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ગોયલના અચાનક રાજીનામા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

  • Follow us on: