• બંને દેશો વચ્ચે 33મી વખત આ યાદીની આપ-લે કરી
  • નવા વર્ષના પહેલા જ દિવસે આ કરાર પર લાગી મહોર 
  • પાકિસ્તાને તેના તમામ પરમાણુ સ્થળોની યાદી ભારતને સોંપી

પાકિસ્તાનમાં આતંકી હુમલા અને મોંઘવારી સાથે બેરોજગારી દિવસેને દિવસે વધી રહી છે. પાકિસ્તાનમાં રહેતા નાગરિકો રાજકીય નીતિથી પરેશન છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થતા રહે છે. આતંકવાદના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે કોઈ વાતચીત થઈ નથી, તેવામાં હવે એવું સામે આવ્યું છે કે પાકિસ્તાને તેના તમામ પરમાણુ સ્થળોની યાદી ભારતને સોંપી દીધી છે, જેના જવાબમાં ભારતે પણ પાડોશી દેશને તેના પરમાણુ સ્થળોનું સરનામું જણાવ્યું છે.

દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે પરમાણુ સ્થળો વિશેની માહિતીનું આપ-લે દ્વિપક્ષીય કરાર હેઠળ થયું હતું. નવા વર્ષના પહેલા જ દિવસે આ કરાર પર મહોર મારી દેવામાં આવી હતી. આ એક વાર્ષિક કરાર છે જે દર વર્ષે કરવામાં આવે છે. આ જાણકારી ખુદ વિદેશ મંત્રાલયે આપી છે.

એકબીજાને પરમાણુ સાઇટ્સ કહેવાનું આ કારણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1992થી પરમાણુ સાઇટ્સ શેર કરવા માટે દ્વિપક્ષીય કરાર ચાલુ છે. આ પ્રક્રિયા એટલા માટે કરવામાં આવે છે જેથી બંને દેશો એકબીજાના પરમાણુ મથકો પર હુમલો ન કરે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ યાદી પરમાણુ લક્ષ્યો પર હુમલા રોકવા માટેના કરારની જોગવાઈઓ હેઠળ એકબીજાને પરમાણુ સાઇટ્સ સોંપવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને સોમવારે દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે થયેલો આ કરાર રાજદ્વારી માધ્યમથી થયો હતો. આ કરાર 31 ડિસેમ્બર 1988ના રોજથી અમલી બન્યો હતો. જો કે, તેનો અમલ કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. તે 27 જાન્યુઆરી 1991 ના રોજ અમલમાં આવ્યો. ત્યારથી દર વર્ષે પહેલી જાન્યુઆરીએ બંને દેશો એકબીજાને પોતપોતાના પરમાણુ સ્થળો વિશે માહિતી આપે છે.



  • Follow us on: