હરિયાણામાં 90 વિધાનસભા સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. તમામ પક્ષો આ માટે પ્રચારમાં વ્યસ્ત છે. પરંતુ આ પહેલા રાજ્યના રાજકારણ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સાંજે 5 વાગ્યે હરિયાણા કેબિનેટની બેઠકમાં વિધાનસભા ભંગ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર સીએમ નાયબ સિંહ સૈની રાજીનામું આપી શકે છે. કેબિનેટની બેઠક બાદ સીએમ નાયબ સિંહ સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળીને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. સૂત્રોનું માનીએ તો રાજ્યપાલ તેમને આગામી સરકાર રચાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી બનાવશે.
જાણો શા માટે CM સૈની વિધાસભા ભંગ કરશે
હરિયાણા વિધાનસભાનું છેલ્લું સત્ર 13 માર્ચે બોલાવવામાં આવ્યું હતું. બંધારણીય રીતે છ મહિનામાં એકવાર વિધાનસભાનું સત્ર બોલાવવું જરૂરી છે. તેથી સરકારે 12 સપ્ટેમ્બર સુધીમાં ગૃહની બેઠક બોલાવવી જરૂરી છે. આવી સ્થિતિમાં આ બંધારણીય સંકટને ટાળવા માટે મુખ્યમંત્રીએ રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવી પડશે. વિધાનસભાના બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ.
જાણો શું છે બંધારણીય સંકટ
હરિયાણા વિધાનસભાનું છેલ્લું સત્ર 13 માર્ચે બોલાવવામાં આવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ તત્કાલિન મુખ્યમંત્રી મનોહર લાલના રાજીનામા પછી વિશ્વાસ મત જીત્યો હતો. બંધારણીય રીતે છ મહિનામાં એકવાર વિધાનસભાનું સત્ર બોલાવવું જરૂરી છે. તેથી સરકારે 12 સપ્ટેમ્બર સુધીમાં ગૃહની બેઠક બોલાવવી જરૂરી છે. બંધારણીય સંકટને ટાળવા માટે મુખ્યમંત્રીએ રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવી પડશે. બંધારણની કલમ 174 (1) સ્પષ્ટપણે ઉલ્લેખ કરે છે કે વિધાનસભાના બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ.
હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન
ઉલ્લેખનીય છે કે, હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન થશે. પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી માટે લગભગ તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સીએમ નાયબ સિંહ સૈની લાડવા વિધાનસભાથી ભાજપના ઉમેદવાર છે.