જાતિ જનગણના પર મોદી સરકારે મહોર લગાવી દીધી છે. બુધવારે મળેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્ય વસ્તી ગણતરીમાં જ જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. અગાઉ વસ્તી ગણતરી 2021 માં થવાની હતી પરંતુ કોવિડને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. વસ્તી ગણતરી દરમિયાન ધર્મ અને વર્ગને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવશે. જોકે એવી ચર્ચા છે કે આ વખતે વસ્તી ગણતરીમાં, તમે કયા સમુદાયના છો તે પણ પૂછવામાં આવી શકે છે. ત્યારે એવામાં સવાલ થાય કે જનગણનાની પ્રક્રિયા શું હોય છે. કેવી રીતે એક એક ભારતીયોની ગણતરી થાય છે અને આ દરમિયાન કેવા કેવા સવાલો પૂછવામાં આવે છે આવો જાણીએ.
કેવી રીતે થાય છે જનગણના ?
દેશની વસ્તી ગણતરીની સત્તાવાર વેબસાઇટ અનુસાર વસ્તી ગણતરી બે ભાગમાં હાથ ધરવામાં આવે છે. પ્રથમ હાઉસિંગ અને બીજી હાઉસિંગ સેન્સસ. હાઉસિંગમાં ઘર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં વીજળી, પીવાનું પાણી, શૌચાલય, મિલકત અને મિલકતના કબજા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે.
વસ્તી ગણતરીનું બીજું ફોર્મ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર છે. પરિવારના સભ્યોને લગતા પ્રશ્નો તેમાં નોંધાયેલા છે. જે ગણતરીકાર પૂછી પૂછીને ભરે છે. જેમ કે નામ, લિંગ, માતાનું નામ, પિતાનું નામ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ, કામચલાઉ સરનામું, વર્તમાન સરનામું, પરિવારના વડા કોણ છે અને વડા સાથે શું સંબંધ છે? વસ્તી ગણતરી પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે આવા 29 પ્રશ્નો પૂછવામાં આવે છે.
જનગણનાનો રેકોર્ડ જણાવે છે કે દરેક વખતે સવાલોની સંખ્યામાં વધારો થાય છે. દર વર્ષે 2001ની વસ્તી ગણતરીની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરીમાં ઘણા વધારાના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, તમે જ્યાં કામ કરો છો તે સ્થળ તમારા ઘરથી કેટલું દૂર છે ? 2001ની વસ્તી ગણતરી નામ, જિલ્લો અને રાજ્ય જેવા મૂળભૂત પ્રશ્નો સુધી મર્યાદિત હતી, પરંતુ ૨૦11ની વસ્તી ગણતરીમાં વ્યક્તિના ગામનું નામ પણ સામેલ હતું.
ડેટા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
એવો દાવો કરવામાં આવે છે કે સરકાર વસ્તી ગણતરી સંબંધિત જે પણ માહિતી એકત્રિત કરે છે તે કોઈપણ ખાનગી એજન્સી સાથે શેર કરવામાં આવતી નથી. વસ્તી ગણતરી કાર્યકરો દ્વારા જે પણ ડેટા એકત્રિત કરવામાં આવે છે તે ફિલ્ટર કરવામાં આવે છે. શ્રેણીઓમાં વિભાજીત થયા પછી તેને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. આ રીતે વસ્તી ગણતરીનો ડેટાબેઝ તૈયાર થાય છે જેનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે છે.
ભારતમાં વસ્તી ગણતરી કરાવવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. તેને વસ્તી ગણતરી અધિનિયમ 1948 તરીકે ઓળખવામાં આવે છે. આ જોગવાઈ કેન્દ્ર સરકારને વસ્તી ગણતરી કરવાનો અને તેના માટે નિયમો બનાવવાનો અધિકાર આપે છે. આ સાથે વસ્તી ગણતરીનો વિગતવાર ડેટા ગુપ્ત રાખવામાં આવે છે.
પ્રથમ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી?
દેશમાં પહેલી વસ્તી ગણતરી 1872 માં તત્કાલીન ગવર્નર-જનરલ લોર્ડ મેયોના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી, પરંતુ સંપૂર્ણ વસ્તી ગણતરી 1881 માં થઈ હતી. આ પછી, દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની પ્રથા શરૂ થઈ. ભારતને સ્વતંત્રતા મળી તે પહેલાં, 1881, 1891, 1901,1911, 1921, 1931, 1941 માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. સ્વતંત્રતા પછી, પ્રથમ વસ્તી ગણતરી 1951 માં કરવામાં આવી હતી. ત્યારબાદ 1961, 1971, 1991, 2001 અને 2011માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી.