ગઈકાલે અમદાવાદના વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો, જેની સારવાર ચાલી રહી છે.
2014માં, મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 કુઆલાલંપુરથી બેઇજિંગ માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં કુલ 239 મુસાફરો હતા. ઉડાન દરમિયાન તે વિયેતનામના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું અને પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે આજ સુધી તેનો કોઈ જાણકારી મળી નથી.
ફિલિપાઈન્સ જતુ પ્લેન ગાયબ થઈ ગયું
1962માં, ફ્લાઈંગ ટાઈગર લાઈનની ફ્લાઇટ 739993 અમેરિકન સૈનિકો અને 11 ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી હતી અને પેસિફિક મહાસાગરમાં ગાયબ થઈ ગઈ હતી. તે ફિલિપાઈન્સ જઈ રહી હતી. આજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. 30 જાન્યુઆરી, 1948ના રોજ, બ્રિટિશ સાઉથ અમેરિકન એરવેઝનું વિમાન સ્ટાર ટાઈગરે 25 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટુગલના એઝોર ટાપુથી બર્મુડા માટે ઉડાન ભરી હતી, પરંતુ ત્યાં પહોંચતા જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો અને ફરી ક્યારેય દેખાયો નહીં.
અમેરિકાનું એરવેઝ વિમાન પણ ગાયબ થયું
આ દુર્ઘટનામાં એક વર્ષ પછી 17 જાન્યુઆરી 1949 એ અમેરિકન એરવેઝનું વિમાન સ્ટાર એરિયલ ગાયબ થયું હતું. આ વિમાનમાં 13 મુસાફરો ઉપરાંત 7 ક્રૂ સભ્યો હતા. 5 ડિસેમ્બર 1945 ના રોજ, 14 પાઇલટ્સને લઈને એક નિયમિત તાલીમ ફ્લાઇટ ફ્લોરિડાના તેના બેઝ પરથી ઉડાન ભરી, પરંતુ થોડા સમય પછી તેનો બેઝ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો. તેને શોધવા માટે વિમાનો મોકલવામાં આવ્યા, પરંતુ કંઈ મળ્યું નહીં. ફ્લાઇટ 914 એ 2 જુલાઈ 1955 ના રોજ ન્યૂ યોર્કથી મિયામી માટે ઉડાન ભરી હતી, પરંતુ આ વિમાન પણ હવામાં ગાયબ થઈ ગયું હતું. આ વિમાનમાં કુલ 57 મુસાફરો સવાર હતા.