ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પોતાની નવી ફિલ્મ રામાયણમાં ભગવાન રામનું પાત્રમાં જોવા મળશે. મેકર્સે ફિલ્મની પહેલી ઝલકને બતાવી હતી, જેમાં રણબીર કપૂર ભગવાન રામના ગેટ અપમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. જો કે રામાયણ ગ્રંથ પર બનવાવાળી આ ફિલ્મ પહેલી ફિલ્મ નથી. પહેલા પણ ઘણી ટીવી સીરિયલ ને ફિલ્મો રામાયણ પર બની ચૂકી છે.


તે પહેલા પ્રભાસની આદિપુરુષ પણ રામાયણ થીમ પર રિલીઝ થઈ હતી, જે ફ્લોપ થઈ ગઈ હતી. હવે એવામાં લોકોના મનમાં સવાલો એ થાય છે કે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો પર બનાવવાળી ફિલ્મો પર પણ કોપીરાઈટ લાગી શકે છે?

ધાર્મિક વિષયો પર બની રહી છે ફિલ્મો

ઘણા વર્ષોથી ધાર્મિક વિષયો પર ફિલ્મો બનાવવામાં આવી રહી છે. આદિપુરુષ, ઓહ માઈ ગોડ 2, કલ્કિ, બ્રહમાસ્ત્ર જેવી ફિલ્મો સામેલ છે. જે ધાર્મિક વિષયો પર બની છે. એમાંથી ઘણી ફિલ્મોતો ધર્મ ગ્રંથો આધારિત છે તો થોડી ફિલ્મો સ્કિપ્ટ મુજબ તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં સુધી રામાયણની વાત છે આ ધર્મ ગ્રંથ પર ઘણી ટીવી સીરિયલ અને ફિલ્મો બનાવવામાં આવી ચૂકી છે.

કયા ધર્મ ગ્રંથો પર નથી લાગતા કોપીરાઈટ?

દેશમાં કોપીરાઈટ નિયમોનું ઉલ્લંઘનને રોકવા માટે કોપીરાઈટ નિયમ લાગુ પાડવવામાં આવ્યો છે. આ કાયદો કલા, સાહિત્ય, સંગીત જેવા મૂળ કાર્યોના રચનાકારોના અધિકારોની રક્ષા કરે છે. આ કાયદો કહે છે કે, જે કોઈ પણ રચનાનો મૂળ રચનાકાર છે તેની પરવાનગી વગર તમે તેના કન્ટેન્ટનો ઉપયોગ ના કરી શકો. જો કે સવાલ એ થાય છે કે, રામાયણ, મહાભારત જેવા ધર્મ ગ્રંથોમાં પણ કોપીરાઈટ કાયદો લાગુ પડે છે.

આવા મામલાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં 2023માં એક નિર્ણય આપવામાં આવ્યો હતો કે, ભગવદ્ ગીતા, મહાભારત અને રામાયાણ જેવા ધર્મ ગ્રંથો પર કોપીરાઈટનો કાયદો લાગુ પડતો નથી, જો કે તેમાં નિર્મિત કોઈ પણ વ્યાખ્યા, રૂપાંતર કે નાટકકાર્યને કોપીરાઈટમાં માનવામાં આવે છે. એટલે તેનો એ અર્થ છે કે ધર્મગ્રંથો પર ફિલ્મોતો બનાવી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલાથી થયેલા રૂપાંતર, વ્યાખ્યાનો ઉપયોગ ફરી ના થાય.


  • Follow us on: