ઘણા લોકો સાપનું નામ સાંભળતા જ ડરી જાય છે અને જો તે સામે આવે છે, તો ડરના કારણે તેઓ કંઈ પણ વિચારી શકતા નથી. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો સાપ કરડવાથી જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ એક સવાલ હંમેશા આવે છે કે જ્યારે આટલા ખતરનાક સાપ મોટા પ્રાણીઓને મારી શકે છે, તો પછી નોળિયા કેવી રીતે બચે છે?
નોળિયા સાપના ઝેરથી પોતાને કેવી રીતે બચાવે છે?
નોળિયા અને સાપ વચ્ચેની દુશ્મનાવટ ઘણી જૂની છે. ઘણીવાર તમે જોયું કે સાંભળ્યું હશે કે નોળિયા સાપ સાથે લડે છે અને જીતે છે. સાપનું ઝેર એટલું ઘાતક છે કે મોટા પ્રાણીઓ પણ તેમાં ફસાઈ ગયા પછી મૃત્યુ પામે છે, પરંતુ તેની નોળિયા પર કોઈ ખાસ અસર કેમ નથી થતી?
નોળિયા પાસે હોય છે ખાસ પ્રકારનું પ્રોટીન
નોળિયાના શરીરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે, જેને નિકોટિનિક એસિટિલકોલાઇન રીસેપ્ટર કહેવામાં આવે છે. આ પ્રોટીન સાપના ઝેરની ન્યુરોટોક્સિક અસર ઘટાડે છે, જેના કારણે નોળિયા ઝેર હોવા છતાં પણ ટકી શકે છે. તેને સાપના ઝેર સામે "રોગપ્રતિકારક" કહી શકાય. જો કે, એનો મતલબ એ નથી કે નોળિયા દર વખતે જીતે છે. ઘણી વખત સાપ પણ નોળિયા પર કાબુ મેળવે છે, ખાસ કરીને જ્યારે નોળિયા નબળો હોય અથવા સાપ મજબૂત હોય.
નોળિયા અને સાપ દુશ્મન કેમ છે?
નોળિયા અને સાપ કટ્ટર દુશ્મન છે. પરંતુ રિયાલીટીમાં, નોળિયા ફક્ત તેની ભૂખ મટાડવવા માટે સાપનો શિકાર કરે છે. ભારતમાં સૌથી ખતરનાક માનવામાં આવતો ભારતીય ગ્રે નોળિયા કિંગ કોબ્રા જેવા ખતરનાક સાપને પણ મારી શકે છે. પરંતુ નોળિયા ક્યારેય પહેલા હુમલો કરતા નથી, તે ફક્ત પોતાને અથવા તેના બાળકોને બચાવવા માટે જ લડાઈમાં ઉતરે છે.