બુધવાર રશિયા, જાપાન અને અમેરિકા માટે ખતરાની ચેતવણી લઈને આવ્યો. રશિયાના દૂર પૂર્વીય ક્ષેત્રમાં સવારે 8.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તેણે માત્ર રશિયાના દૂર પૂર્વીય વિસ્તારોને જ હચમચાવી નાખ્યા નહીં. જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 


હવે જાપાનમાં સુનામીના ભયાનક મોજાઓએ બધાને ડરાવી દીધા છે. જાપાન સિવાય, અમેરિકામાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી મુજબ, 3 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. પરંતુ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતો પહેલા, પ્રાણીઓ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરે છે. તેઓને કુદરતી આફતનો અનુભવ પહેલેથી થાય છે જાણો કેવી રીતે?

પ્રાણીઓ કેવી રીતે ખબર પડી જાય છે?

હાથી, ભેંસ, શ્વાન અને બીજા ઘણા પ્રાણીઓ આ આફતોને માણસો પહેલાં સમજે છે. પરંતુ પ્રશ્ન એ છે કે પ્રાણીઓ આ કુદરતી આફતો વિશે કેવી રીતે જાણે છે? નિષ્ણાતો કહે છે કે ભૂકંપ પહેલાં, કેટલાક મોજા ઉછરે છે જે માણસો સમજી શકતા નથી પરંતુ પ્રાણીઓ ભયનો અહેસાસ કરે છે. કારણ કે પ્રાણીઓની ઇન્દ્રિયો મનુષ્યો કરતાં ઘણી વધુ સંવેદનશીલ હોય છે. આ ઇન્દ્રિયો તેમને પર્યાવરણમાં થતા નાના ફેરફારોને ઝડપથી પકડવામાં મદદ કરે છે. પછી ભલે તે પૃથ્વીનું થોડું કંપન હોય કે હવાના દબાણમાં ફેરફાર. પ્રાણીઓ તેને તરત જ સમજી લે છે.

આ પ્રાણીઓ સમજી જાય છે સંકેતો

  • શ્વાનને ખૂબ જ સતર્ક પ્રાણીઓ માનવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે શ્વાન પૃથ્વીની સપાટી પરના સૂક્ષ્મ સ્પંદનોને પહેલાથી જ સમજી શકે છે. આ કારણોથી તેઓ જોરથી  ભસવાનો અને ભાગવાનો પ્રય્તન કરે છે.
  • શ્વાન ઉપરાંત, હાથીઓ પણ આપત્તિનો અનુભવ કરે છે. હાથીઓ સુનામીનો ભય ખૂબ જ ઝડપથી અનુભવે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ભાગવાનું શરૂ કરે છે. સાપ પણ પૃથ્વીની ગતિવિધિનો અનુભવ કરે છે અને અહીં અને ત્યાં દોડવાનું શરૂ કરે છે.
  • માછલીઓ પૂર અથવા સુનામીનો ભય અનુભવે છે, જેના કારણે તેઓ ઝડપથી તરવાનું શરૂ કરે છે.
  • કુદરતી આપત્તિને પક્ષીઓ પણ અનુભવે છે. તેઓનું વર્તન બદલાય જાય છે અને તે સાથે જ તેઓ ઉડવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, ગાય અને ભેંસ જેવા પશુઓ પણ આપત્તિનો અનુભવ કરે છે. ખરાબ હવામાન દરમિયાન તેમને બેચેન દોડતા જોયા હશે.

  • Follow us on: