ભારત અને બ્રિટેન વચ્ચે કેબિનેટ તરફથી એક ટ્રેડ ડીલની મંજૂરી આપવવામાં આવી છે. આ ટ્રેડ ડીલથી બંને દેશોને ઘણો ફાયદો થવાનો છે. ફ્રી ટ્રેડ ડીલનો મતલબ એ થાય છે કે જે પ્રોડક્ટ ભારત બ્રિટેન પાસેથી ખરીદે છે તેના પર હવે કોઈ પણ નિકાસ શુલ્ક લાગશે નહીં. એટલા માટે પ્રોડક્ટ બિઝનેસમેનને સસ્તા પડશે અને તે કસ્ટમરને પણ સસ્તામાં વેચી શકશે. તેનો ફાયદો બ્રિટેનના લોકોને પણ મળશે.
જો કે આ ટ્રેડ ડીલથી દરેક લોકો ખુશ નથી દેખાય રહ્યા. તેનાથી સૌથી વધારે નિરાશ ભારતીય વ્હિસ્કી બનાવવાવાળી કંપનીઓ છે. આ નિરાશા એટલા માટે છે હવે બ્રિટેનની મોંઘી દારૂ ભારતમાં પહેલાથી વદારે સસ્તામાં મળશે આ વાત દેશી દારૂના નિર્માતાઓને પસંદ આવી નથી રહી.
બ્રિટેનથી કઈ કઈ દારૂ ભારતમાં આવે છે
ભારતમાં બ્રિટેન મુખ્ય રૂપથી સ્કોચ વ્હિસ્કી અને જિનની આયાત કરે છે. સ્કોચ વ્હિસ્કી વિશેષ રૂપથી ભારતમાં લોકપ્રિય છે અને પહેલાના વર્ષોમાં તેની આયાત વધી ગઈ હતી. તે સિવાય બ્રિટેનથી ઘણી બીયર ભારતમાં આયાત કરવામાં આવે છે.
સ્કોચ વ્હિસ્કી બ્રિટેનની સૌથી ફેમસ દારૂ છે અને ભારતમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. ઘણા લોકપ્રિય સ્કોચ બ્રાન્ડમાં લૈફ્રોએગ અને સિપસ્મિત પણ સામેલ છે. લંડન જિન પણ બ્રિટેનનો લોકપ્રિય દારૂ છે. તે સિવાય બ્રિટિશ બીયર બ્રાન્ડ પણ આયાત કરે છે.
ટ્રેડ ડીલ પછી શું અસર થશે
આ એગ્રીમેન્ટ મુજબ, ભારતમાં યુકેથી આવતી વ્હિસ્કી ડ્યૂટી ઓછી થઈ જશે. તે 150 ટકાથી ઓછી થઈને 75 ટકા થઈ જશે. આ ટ્રેડ ડીલ થયા પછી દસમાં વર્ષે તેને 40 ટકા કરી દેવામાં આવશે. આ કારણથી ભારતમાં વધારે માત્રામાં સ્કોચ વ્હિસ્કી નિકાસ કરવામાં આવશે. તેનો એ અર્થ થાય છે કે ભારતમાં દારૂ ઉધોગમાં કોઈ ફરક પડશે નહીં. કારણ કે ભારત દારૂ ઉધોગનો ત્રીજો સૌથી મોટો માર્કેટ છે.