- શરીરમાં ઓક્સીજનનું લેવલ વધી જવાથી વધે છે સમસ્યા
- હાર્ટ ઝડપથી પંપિંગ કરવા લાગે છે અને નસમાં બ્લડ સપ્લાય અનિયમિત બને છે
- 50-70 ટકા સુધી બ્લોકેજ વાળા લોકોમાં સમસ્યા વધે છે
હાર્ટ એટેકના કારણે આજકાલ દેશમાં યુવાનોના મોત થઈ રહ્યા છે. આજના દિવસે એટલે કે 1 ઓક્ટોબરે ગુજરાતમાં 3 યુવકોના હાર્ટ એટેકના મોત થયા છે. સુરતમાં 35 વર્ષના યુવાનનું મોત, રાજકોટમાં 35 વર્ષના યુવાનનું મોત અને દાહોદમાં 39 વર્ષના યુવાનનું મોત હાર્ટ એટેકના કારણે નીપજ્યું છે. છેલ્લા 6 દિવસમાં 7 યુવાનોના હાર્ટ એટેકના કારણે જીવ લેવાયા છે. અનેક કિસ્સામાં તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે પછી ક્રિકેટ કે ગરબા રમતા રમતા યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે. આ કિસ્સા ડરાવનારા હોય છે.હાર્ટ એટેક જીવલેણ બની શકે છે. 2016થી લઈને 2022 સુધીમાં 20-30 વર્ષ સુધીના લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. દર વર્ષે 2 ટકા કિસ્સા વધે છે. જિમમાં વર્કઆઉટ કરનારામાં પણ હાર્ટ એટેક વધી રહ્યા છે. અનેક કિસ્સામાં તો મોત પણ જોવા મળી રહ્યા છે. તો જાણો કઈ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટ એટેકને ઘટાડી શકાય છે.
એક્સરસાઈઝ કરતી સમયે હાર્ટ એટેકનો ખતરો શા માટે વધે છે












