• ઘરે બનાવો ટ્રેડિશનલ ગુંદરના લાડુ
  • સરસોં કા સાગની આ દિવસે રહે છે ડિમાન્ડ
  • પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલમાં ઉજવાય છે લોહરી

લોહરી અને મકરસંક્રાંતિના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે. વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે લોહરી 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોહરીનો તહેવાર ખોરાક સાથે પણ સંબંધિત છે. આ દિવસથી શેરડી અને મૂળાની પણ વાવણી કરવામાં આવે છે. લોકો અગ્નિદેવને સમર્પિત આ તહેવારે રાત્રે અગ્નિ પ્રગટાવીને અને ગીતો ગાઈને ઉજવે છે. પરંતુ કોઈપણ તહેવાર ટ્રેડિશનલ વાનગી વિના અધૂરો છે. આવી સ્થિતિમાં અમે તમને લોહરીના તહેવાર પર બનાવવામાં આવતી પરંપરાગત વાનગીઓ વિશે જણાવીશું. જેમાં તમે સરસોં કા સાગ અને ગુંદરના લાડુ ઘરે ટ્રાય કરી શકો છો. તો જાણો રેસિપિ.

ગુંદરના લાડુ

સામગ્રી

200 ગ્રામ ગુંદર

100 ગ્રામ કાજુ

100 ગ્રામ બદામ

100 ગ્રામ પિસ્તા

250 ગ્રામ ઘી

500 ગ્રામ ઘઉંનો લોટ

350 ગ્રામ પાઉડર ખાંડ

75 ગ્રામ સુકા આદુ પાવડર

35 ગ્રામ એલચી પાવડર

100 ગ્રામ કિસમિસ

75 ગ્રામ કોળાના બીજ

બનાવવાની રીત

ગુંદરને ગ્રાઇન્ડિંગ જારમાં પીસીને બારીક પાવડર બનાવો. હવે જાડા તળિયાની તપેલી અથવા કઢાઈને મધ્યમ તાપ પર રાખો. તેમાં ઘી અને ઘઉંનો લોટ ઉમેરો અને સતત હલાવતા રહો. લોટને ગેસ પર બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો. લાઇટ બ્રાઉન બિસ્કીટ જેવો કલર આવે કે તરત જ ગેસ બંધ કરી દો. હવે તેમાં પીસેલા ગુંદર પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. આ પછી તેમાં દળેલી ખાંડ, સૂકા આદુનો પાવડર અને એલચી પાવડર નાંખીને મિક્સ કરો. આ પછી તમે આ મિશ્રણમાં બદામ મિક્સ કરો. તેને મોટા કદના વાસણમાં બદલી લો. આ પછી આ મિશ્રણને હાથ વડે આકાર આપો. તમારી લોહરી પિન્ની તૈયાર છે.

સરસોં કા સાગ

1 કિલો સરસવના પાન

250 ગ્રામ બથુઆ

250 ગ્રામ પાલક

1 નંગ સુધારેલા ટામેટા

50 ગ્રામ- મકાઈનો લોટ

2 નંગ લવિંગ

4 કળી લસણ

થોડું આદુ ખમણેલું

1/2 ચમચી લીલું મરચું

1 મીડિયમ સુધારેલી ડુંગળી

1/4 ચમચી હળદર

1 ચમચી જીરું

1 ચમચી ઘી

કેવી રીતે બનાવવું

સરસોંનું શાક બનાવવા માટે સરસોંની ભાજી, બથુઆના પાન અને પાલકની ભાજીને ટામેટાં, આદું, લસણ, લીલા મરચાં અને મકાઈનાં લોટને સાથે ચઢવો. આ પછી તેની પ્યુરી બનાવવામાં આવે છે. અંતે તેની ઉપર સારી સુગંધ અને સ્વાદ માટે ઘીમાં સાંતળેલી ડુંગળીનો વઘાર નાખવામાં આવે છે. આ બનાવવામાં પણ સરળ છે અને સાથે પૌષ્ટિક પણ છે. આ શાકને મકાઈના રોટલા સાથે પીરસો.

  • Follow us on: