ભોજન બાદ અનેક ઘરોમાં મુખવાસની પરંપરા છે. બપોરનું ભોજન હોય કે પછી રાત્રિનું ડિનર પરિવારના લોકો મુખવાસ જરૂર ખાય છે. આર્યુવેદમાં પણ કહ્યું છે કે ભોજનનું શરીરમાં યોગ્ય રીતે પાચન થાય તેના મુખવાસ જરૂર ખાવો જોઈએ. પરંતુ મુખવાસમાં શું ખાવું તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે કેટલાક લોકો ફક્ત વરિયાળી ખાવાનું કહે છે તો કોઈ ધાણાની દાળ અથવા તો ઇલાયચી ખાવાની સલાહ આપે છે.
મુખવાસમાં કરો વરિયાળીનું સેવન













