ઉનાળાની ઋતુનું 'સુપરફૂડ' છે તરબૂચ. આ ફળમાં 90% થી વધુ પાણી હોવાની સાથે-સાથે ભરપૂર પોષક તત્વો પણ મળી આવે છે, જે ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખે છે. પરંતુ, આ ઋતુમાં ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) ના ઘણા ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે. આ જ કારણે હવે લોકો તરબૂચ ખાતા ડરી રહ્યા છે. વાચકોના મનમાં પ્રશ્ન એ છે કે, શું ખરેખર તરબૂચ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે? અને તેના માટે કયા પરિબળો જવાબદાર છે? આવો જાણીએ ડોક્ટર શું કહે છે.


શું તરબૂચ ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ

ડોક્ટર કહે છે કે તરબૂચમાં એવું કંઈ નથી જે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે. આ સમયે ભેજ અને ગરમી ખૂબ વધારે હોય છે. આ ઋતુમાં, જો તમે કોઈપણ ફળ કાપીને તેને ઘણા કલાકો સુધી રાખો છો, તો તેમાં બેક્ટેરિયા વધશે. જેનાથી બીમારીનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં તે ફળ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. આ ફક્ત તરબૂચ પર જ નહીં, પરંતુ અન્ય તમામ ફળો પર પણ લાગુ પડે છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તેને કાપીને રાખવામાં આવે ત્યારે બેક્ટેરિયા ઝડપથી વધે છે. જો કોઈ ઘણા કલાકો અથવા 1-2 દિવસથી કાપેલા ફળ ખાય છે, તો તે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. ઉનાળામાં કાપેલા ફળ ખાવાનું ટાળવું જોઈએ.

નિષ્ણાતોની ખાસ સલાહ

ઉનાળામાં ફળોનો ભરપૂર આનંદ લેવા અને બીમારીઓથી દૂર રહેવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. તરબૂચ કે અન્ય કોઈ પણ ફળને કાપ્યા પછી તરત જ ખાઈ લેવાનો આગ્રહ રાખો. જો તરબૂચનો સ્વાદ સહેજ પણ ખાટો કે વિચિત્ર લાગે અથવા તેમાંથી દુર્ગંધ આવતી હોય, તો તેને તરત જ ફેંકી દો. ફળ કાપતા પહેલા તેને બરાબર ધોઈ લો. કાપવા માટે વપરાતી છરી અને પ્લેટ એકદમ સાફ હોવી જોઈએ. જો ફળને સાફ કરીને યોગ્ય રીતે રાખવામાં આવે, તો તેને થોડા કલાકો માટે ફ્રીજમાં મૂકવું હાનિકારક નથી. પરંતુ કાપેલા ફળને ૨ से ૩ દિવસ સુધી ફ્રીજમાં રાખી મૂકવાની ભૂલ ક્યારેય ન કરવી.


આ પણ વાંચો : Japanese Manicure: નેઇલ આર્ટના જમનામાં 'જાપાનીઝ મેનીક્યોર' નો ભારે ક્રેઝ, નખને આપશે કુદરતી કાચ જેવી ચમક

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: