ઘરની સફાઈમાં સૌથી પડકારજનક કામ હોય તો તે છે ફ્લોર (ભોંયતળિયું) સાફ કરવું. દરરોજ પોતું કરવા છતાં ઘણીવાર ફ્લોર પર ચીકણાશ, પીળાશ અને બેક્ટેરિયા રહી જાય છે. ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં માખીઓનો ત્રાસ વધી જતો હોય છે. આવા સમયે મોંઘા અને કેમિકલયુક્ત ફ્લોર ક્લીનર્સ પાછળ પૈસા ખર્ચવાને બદલે તમારા રસોડામાં રહેલું સફેદ મીઠું જાદુઈ અસર કરી શકે છે.

કેવી રીતે ઉપયોગ કરવો?

આ ઉપાય કરવો અત્યંત સરળ છે. એક ડોલ પાણીમાં માત્ર ૨ ચમચી મીઠું ઉમેરો અને બરાબર ઓગાળી લો. આ પાણીથી આખા ઘરમાં પોતું કરો. નિયમિત રીતે આ પદ્ધતિ અપનાવવાથી તમને નીચે મુજબના અદ્ભુત ફાયદા જોવા મળશે:

1. બેક્ટેરિયાનો કુદરતી નાશ:

મીઠામાં કુદરતી રીતે જ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-સેપ્ટિક ગુણધર્મો હોય છે. લાઈઝોલ કે ફિનાઈલ જેવા કેમિકલ્સની સરખામણીએ મીઠાનું પાણી ફ્લોરની તિરાડોમાં રહેલા સૂક્ષ્મ જંતુઓ અને બેક્ટેરિયાનો અસરકારક રીતે નાશ કરે છે, જેનાથી ઘરનું વાતાવરણ સ્વાસ્થ્યપ્રદ રહે છે.

2. ફ્લોરની પીળાશ અને ડાઘાથી મુક્તિ:

સફેદ લાદી કે માર્બલ પર સમય જતાં પીળાશ જામી જતી હોય છે. મીઠાનું પાણી આ પીળાશને તોડવામાં મદદ કરે છે. જોકે, આ માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે નિયમિત ઉપયોગથી જ જૂની પીળાશ ધીમે-ધીમે દૂર થશે અને ફ્લોર કુદરતી રીતે ચમકવા લાગશે.

3. માખીઓ અને જીવાતથી છુટકારો:

ઉનાળામાં ગરમી વધતાની સાથે જ ઘરમાં માખીઓનો જમાવડો થવા લાગે છે. મીઠાના પાણીની ગંધ અને તેના અંશો માખીઓને દૂર રાખવામાં ખૂબ જ કારગત નીવડે છે. મીઠાના પાણીથી પોતું કર્યા બાદ ફ્લોર પર માખીઓ બેસતી નથી અને ઘર ચોખ્ખું રહે છે.
4. ચીકણાશ અને દુર્ગંધ દૂર કરે છે:
ભેજવાળા વાતાવરણમાં ફ્લોર ઘણીવાર ચીકણો લાગે છે, જેના પર ચાલવું અઘરું બને છે. મીઠાનું પાણી વધારાની તેલયુક્ત ચીકણાશને શોષી લે છે અને ફ્લોરને એકદમ સ્મૂધ બનાવે છે. સાથે જ, તે ભેજવાળી ગંદી ગંધને દૂર કરી ઘરમાં તાજગી લાવે છે.

  • Follow us on: