ડાયાબિટીસના દર્દીઓ માટે ઉનાળાની ઋતુ ઘણીવાર મુંઝવણભરી હોય છે. એકબાજુ કેરીની આકર્ષક સુગંધ હોય છે અને બીજી બાજુ બ્લડ શુગર વધી જવાનો ડર. મોટાભાગના લોકો માને છે કે ડાયાબિટીસમાં કેરી ખાવી જોખમી છે, પરંતુ નિષ્ણાંતો ના મતે જો સમજદારીપૂર્વક ખાવામાં આવે તો કેરી હાનિકારક નથી.

કેરીના ગુણધર્મો અને વિજ્ઞાન

કેરીમાં કુદરતી ખાંડ અને કેલરી વધુ હોય છે તે સત્ય છે, પરંતુ તેમાં વિટામિન્સ, ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ ભરપૂર છે. ખાસ કરીને કેરીમાં 'મેંગીફેરિન' નામનું તત્વ હોય છે, જે સંશોધનો મુજબ ડાયાબિટીસ વિરોધી ગુણો ધરાવે છે. આ તત્વ શરીરને ગ્લુકોઝ મેનેજ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેથી, કેરી માત્ર નુકસાનકારક ફળ નથી, પણ પોષણનો ખજાનો પણ છે.

બ્લડ શુગરને નિયંત્રિત રાખવાની સ્માર્ટ ટિપ્સ

નિષ્ણાંતોના મતે કેરી ક્યારેય એકલી ન ખાવી જોઈએ. જો તમે માત્ર કેરી ખાઓ છો, તો બ્લડ શુગર ઝડપથી વધી શકે છે (Spike). આના ઉકેલ માટે:
સંતુલિત સેવન: કેરીને બદામ, અખરોટ, ચિયા સીડ્સ અથવા દહીં સાથે ખાઓ. આમાં રહેલા પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ લોહીમાં શુગરના શોષણને ધીમું પાડે છે, જેથી ગ્લુકોઝ લેવલ અચાનક વધતું નથી.
માત્રા અને સમય: આખા દિવસમાં એક કે બે મોટી કેરી ખાવાને બદલે માત્ર થોડા ટુકડા જ લો. રાત્રે સૂતી વખતે કેરી ખાવાનું ટાળો, કારણ કે રાત્રે શરીરની મેટાબોલિક પ્રક્રિયા ધીમી હોય છે.

વ્યક્તિગત શરીરની પ્રતિક્રિયા

દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમારું બ્લડ શુગર પહેલાથી જ અનિયંત્રિત રહેતું હોય, તો કેરી ખાતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. કેરી ખાધા બાદ ગ્લુકોમીટરથી તમારી શુગર તપાસો. જો સ્તર નોંધપાત્ર રીતે વધતું હોય, તો માત્રા ઘટાડવી અથવા ટાળવી હિતાવહ છે.

disclaimer: માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. તમારા સ્વાસ્થ્યની સ્થિતિ મુજબ ડાયેટમાં ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચોઃ Skin Tips: હવે મિનિટોમાં મેળવો બ્રાઇડલ જેવો ગ્લો ઘરે જ, અપનાવો માત્ર આ એ બોડી સ્ક્રબ
  • Follow us on: