આજના પ્રદૂષણ, ધૂળ-માટી અને વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે ચહેરાની કુદરતી ચમક ક્યાંક ખોવાઈ જાય છે. બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને કેમિકલયુક્ત ટોનર ઘણીવાર ત્વચાને ફાયદો કરવાને બદલે નુકસાન પહોંચાડે છે. જો તમારી સ્કીન પણ બેજાન થઈ ગઈ હોય અને ઓપન પોર્સ (ખુલ્લા છિદ્રો) ની સમસ્યા સતાવી રહી હોય, તો મોંઘા પાર્લર ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે રસોડામાં રાખેલી કુદરતી વસ્તુઓ- ખીરા (કાકડી), ગ્રીન ટી અને ગુલાબજળનો ઉપયોગ કરીને ઘરે જ એક શાનદાર નેચરલ ફેસ ટોનર તૈયાર કરી શકો છો. આ ટોનર માત્ર 1 મહિનામાં તમારી સ્કીનને ગુલાબી નિખાર આપશે.

શા માટે જરૂરી છે આ નેચરલ ટોનર?

ફેસ ટોનર આપણી સ્કીન કેર રૂટીનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે ત્વચાની ઉંડાઈથી સફાઈ કરે છે અને સ્કીનના pH લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.

ખીરા: ખીરામાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ન્યુટ્રિએન્ટ્સ હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને કૂલિંગ ઇફેક્ટ આપે છે. તે ઓપન પોર્સને ટાઈટ કરવામાં મદદરૂપ છે.

ગ્રીન ટી: ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે ત્વચાના સોજા, ખીલ અને ડાર્ક સ્પોટ્સને ઘટાડીને ચહેરા પર કુદરતી ગ્લો લાવે છે.

ગુલાબજળ: ગુલાબજળ સદીઓથી સ્કીન માટે વરદાન માનવામાં આવે છે. તે ત્વચાને તરોતાજા રાખે છે અને ગુલાબી ચમક આપે છે.

નેચરલ ટોનર બનાવવાની રીત:

આ હોમમેઇડ ટોનર બનાવવું ખૂબ જ સરળ છે. સૌથી પહેલા એક ખીરાને છીણીને તેનો રસ કાઢી લો. બીજી બાજુ, અડધા કપ પાણીમાં એક ચમચી ગ્રીન ટી ઉકાળો અને તેને ગાળીને ઠંડુ થવા દો. હવે એક ખાલી સ્પ્રે બોટલ લો. તેમાં કાકડીનો રસ અને ઠંડી કરેલી ગ્રીન ટી સરખા ભાગે મિક્સ કરો. ત્યારબાદ તેમાં 2 થી 3 મોટી ચમચી શુદ્ધ ગુલાબજળ ઉમેરો. બોટલ બંધ કરીને બરાબર હલાવી લો. તમારું 100% ઓર્ગેનિક અને કેમિકલ-ફ્રી ફેસ ટોનર તૈયાર છે. આ ટોનરને તમે ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

ઉપયોગ કરવાની સાચી રીત:

દિવસમાં બે વાર, સવારે અને રાત્રે સૂતા પહેલા ચહેરાને કોઈ સારા ફેસવોશથી સાફ કરી લો. ત્યારબાદ આ ટોનરને આખા ચહેરા પર સ્પ્રે કરો અથવા કોટન (રૂ) ની મદદથી ચહેરા પર લગાવો. તેને આપમેળે સુકાવા દો અને પછી મોઇશ્ચરાઇઝર લગાવો. નિયમિત ઉપયોગથી ચહેરાની કરચલીઓ ઓછી થશે અને સ્કીન એકદમ સોફ્ટ, ગ્લોઇંગ અને ફ્રેશ દેખાશે.

આ પણ વાંચો:China: જિનપિંગની કડક ચેતવણી, 'તાઈવાનને ચીનનો ભાગ બનાવીને જ જંપીશું, કોઈની દખલગીરી સહન નહીં થાય'

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )