• ભગવાન જગન્નાથને પ્રિય છે માલપુઆ
  • માલપુઆને કાળી રોટીના નામે પણ ઓળખાય છે
  • સરળ રીતે બનાવો ભગવાનનો ખાસ ભોગ

રથયાત્રાનો તહેવાર નજીકમાં છે ત્યારે આપણે ભગવાનની પસંદનો ભોગ બનાવીને તેમને પ્રસન્ન કરી શકીએ છીએ. રથયાત્રાના દિવસે તમે ખાસ વાનગીમાં માલપુઆ એટલે કે કાળી રોટી બનાવી શકો છો. તો તમે આજે જ તેને સરળ રીતે બનાવો અને પ્રસાદમાં ધરો. માલપુઆ એક એવું મિષ્ટાન્ન છે, જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં આવે છે. વળી બીજા બધા મિષ્ટાન્નો કરતા તે બનાવવામાં પણ ઈઝી છે. તો જાણો જગન્નાથજીને ધરાવાતા પ્રસાદની સરળ રેસિપિ.

માલપુઆ

સામગ્રી

  • 1 કપ એટલે કે લગભગ 125 ગ્રામ ઘઉંનો લોટ
  • 1 ચમચી પીસેલી વરિયાળી
  • 1 મોટી ચમચી નારિયેળનું છીણ
  • 3થી 4 પીસેલી એલચી
  • 1/2 કપ ખાંડ
  • 3 મોટા ચમચા દૂધ
  • ઘી તળવા માટે

બનાવવાની રીત

માલપુઆ બનાવવા હોવ તો સૌથી પહેલા દૂધમાં ખાંડ નાંખીને એક કલાક માટે મૂકી દો. જ્યારે દૂધમાં ખાંડ ઓગળી જાય ત્યારે જ તેને ઘોળ બનાવવામાં વાપરો. ખીરુ તૈયાર કરવા માટે એક વાસણમાં લોટ ચાળી લો. તેમાં વરિયાળી, એલચી અને નારિયેળનું છીણ નાંખી વ્યવસ્થિત મિક્સ કરી લો. દૂધમાં ખાંડ ઓગળી જાય તો પછી તેને મિશ્રણમાં નાંખી લિક્વિડ તૈયાર કરી લો. જો પેસ્ટ બરાબર ન બન્યું હોય તો તેમાં થોડુ પાણી નાંખીને ફેંટી લો. આટલી તૈયારી થઈ જાય પછી એક કડાઈમાં ઘી નાંખીને તેને ગેસ પર ગરમ કરવા રાખો. ઘી ગરમ થાય પછી ગેસ મીડિયમ કરી દો. બે મોટા ચમચામાં પેસ્ટ લઈને તેને પૂરીના આકારમાં ફેરવતા ફેરવતા ઘીમાં નાંખો અને પુઓ તળી નાંખો. માલપુઆ બંને તરફથી પલટીને લાલ થાય ત્યાં સુધી તળવા જોઈએ. આ રીતે પુઆ બનાવી ગરમગરમ સર્વ કરો.


  • Follow us on: