• સામાન્ય રીતે બનતા નારિયેળના લાડુને આપો ટ્વિસ્ટ
  • રક્ષાબંધનના તહેવારે કરો મેંગો લાડુની તૈયારી
  • ઓછા ખર્ચે બનશે હેલ્ધી લાડુ

રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમે બહારથી કોઈ મિઠાઈ લાવવાનું વિચારો છો તો ચેતજો. આ સમયે મિઠાઈમાં સૌથી વધુ ભેળસેળ જોવા મળે છે. સૌથી સારું એ છે કે તમે ઓછા સમયમાં ઘરે જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મિઠાઈને ફટાફટ તૈયાર કરી લો. તેનાથી તમારી અને પરિવારની હેલ્થ પણ સારી રહેશે અને સાથે જાતે બનાવેલી મિઠાઈનો આનંદ તહેવારની મજાને પણ બમણી કરી દેશે. સ્વાદ તો એવો કે ભાઈ કાયમ આ જ મિઠાઈ માંગશે.

તો જાણો કેવી રીતે ઘરે સરળતાથી બની જશે મેંગો લાડુ

સામગ્રી

  • 1 પાકી કેરીનો પલ્પ
  • 300 ગ્રામ ખાંડ
  • 500 ગ્રામ છીણેલું નારિયેળ
  • 1 કપ દૂધ
  • ઘી જરૂર પ્રમાણે

બનાવવાની રીત

સૌ પહેલા લાડુ બનાવવા માટે કેરીને ધોઈને છોલી લો. આ પછી તેના ગોટલાને અલગ કરો અને કેરીનો પલ્પ બનાવી લો. આ પછી એક કઢાઈને ગરમ કરવા રાખો. તેમાં દૂધ ગરમ કરો. તેમાં નારિયેળની છીણ અને ખાંડને મિક્સ કરો અને સતત હલાવતા રહો. આ બંને મિક્સ કર્યા બાદ દૂધ બળી જાય એટલે તેમાં કેરીનો પલ્પ મિક્સ કરો. જ્યારે મિક્સર ઘટ્ટ થાય તો તેમાં ઉપરથી ઘી ઉમેરો. હવે તમે આ મિશ્રણમાંથી થોડું હાથમાં લો અને ચેક કરો કે લાડુ વળી રહ્યા છે કે નહીં. જો લાડુ વળે તો ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે મિશ્રણ ઠંડું થાય તો તેના લાડુ તૈયાર કરી લો. લાડુને નારિયેળની છીણથી કોટ કરી લો. તમારા કેરીના નારિયેળ લાડુ બનીને તૈયાર છે. તેને તમે મિઠાઈના રૂપમાં તહેવારના દિવસે સર્વ કરી શકો છો.  

  • Follow us on: