90ના દાયકાની જાણીતી બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ ફિલ્મી દુનિયા અને સામાન્ય જીવનને અલવિદા કહીને સંન્યાસીનો માર્ગ પસંદ કર્યો છે. બોલિવૂડ અભિનેત્રીએ કિન્નર અખાડામાં જોડાઈને દીક્ષા લઈ લીધી છે અને તે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનવા જઈ રહી છે. અભિનેત્રીએ તેનું પિંડ દાન કર્યુ હતુ. તેણીને મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું છે, જેના પછી તે સંપૂર્ણ રીતે મહામંડલેશ્વર બની ગઈ. દીક્ષા પછી, મમતાનું નવું નામ શ્રી યમાઈ મમતા નંદ ગિરી રાખવામાં આવ્યું છે. આ દીક્ષા કિન્નર અખાડાના પ્રમુખ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ આપી છે. ચાલો જાણીએ કે મહામંડલેશ્વર બનવાની સમગ્ર પ્રક્રિયા શું છે.


મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા

મહામંડલેશ્વર બનવા માટે ઘણી કઠિન તપસ્યા કરવી પડે છે. સૌ પ્રથમ વ્યક્તિએ ગુરુ સાથે જોડાઈને આધ્યાત્મિક શિક્ષણ લેવું જોઈએ. આ સમય દરમિયાન વ્યક્તિએ પરિવાર, પૈસા અને તમામ સાંસારિક સંપત્તિનો ત્યાગ કરવો પડે છે. ભંડારા અને સેવા કાર્ય ગુરુની દેખરેખમાં કરવા પડે. ઘણા વર્ષોની તપસ્યા અને પરિશ્રમ પછી, જ્યારે ગુરુને લાગે છે કે શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર છે, ત્યારે જ તેને મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવે છે.

દીક્ષા લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે

મહામંડલેશ્વર બનવા માટે અરજી કરનાર વ્યક્તિની સઘન તપાસ કરવામાં આવે છે. અખાડા પરિષદ ખાતરી કરે છે કે અરજદાર સ્વચ્છ પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ માટે તેના પરિવાર, ગામ અને પોલીસ રેકોર્ડ પણ તપાસવામાં આવે છે. જો કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળે તો તેને દીક્ષા આપવામાં આવતી નથી.

સંપૂર્ણ દીક્ષા પ્રક્રિયા

મહામંડલેશ્વર બનવા માટે દીક્ષાની પ્રક્રિયામાં ઘણા તબક્કાઓ છે. જેમાં સૌથી પહેલા અખાડાને અરજી આપવામાં આવે છે. આ પછી તેને દીક્ષા લઈને સંત બનાવવામાં આવે છે. પછી નદી કિનારે હજામત અને સ્નાન કર્યા પછી, પરિવાર અને પોતાને પિંડ દાન કરવામાં આવે છે. તે પછી હવન પછી ગુરુ દીક્ષા આપે છે અને અરજદારની ચોટી કાપવામાં આવે છે. આ પછી, પંચામૃતથી અભિષેક કર્યા પછી, અખાડા વતી એક ચાદર અર્પણ કરવામાં આવે છે. દીક્ષા લીધા પછી સંતે પોતાનો આશ્રમ બનાવી લોકકલ્યાણ માટે કામ કરવાનું હોય છે. તેથી હવે મમતા કુલકર્ણી પોતાનું આખું જીવન સાધુ તરીકે વિતાવશે. દીક્ષા લીધા પછી તે સત્તાવાર રીતે મહામંડલેશ્વર બની.

  • Follow us on: