ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યભરમાં વિવિધ સ્તરે ભાજપના આશરે 700 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

700 જેટલી બેઠકો પર ભગવો લહેરાવી દીધો

આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, અને આ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ ભાજપે દાવો કર્યો છે કે ચૂંટણીના જંગની શરૂઆત પહેલા જ તેમણે 700 જેટલી બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. જગદીશ વિશ્વકર્માના આ દાવાએ વિરોધ પક્ષોમાં ખળભળાટ મચાવી દીધો છે. જો આ આંકડા સત્તાવાર રીતે જાહેર થાય, તો તે ભાજપ માટે એક મોટી વ્યૂહાત્મક જીત ગણાશે.

ભાજપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયાનો દાવો

બિનહરીફ થયેલી આ બેઠકોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપના મતે, જનતાનો વિશ્વાસ અને સંગઠન શક્તિને કારણે વિરોધ પક્ષોએ મેદાન છોડ્યું છે અથવા તો ભાજપના ઉમેદવારો સામે કોઈ સક્ષમ હરીફ રહ્યો નથી. 


આ પણ વાંચો----     GSRTCની ડિજિટલ ક્રાંતિ, હવે એસ.ટી. બસની સમસ્યાઓ એક ક્લિકમાં હલ થશે, QR કોડ સિસ્ટમને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ