સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે જ પંચમહાલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસને રામ-રામ કહીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લીધો છે. ઘોઘંબા ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિશેષ હાજરીમાં તેમણે કેસરીયો ધારણ કર્યો હતો.
ભાજપ પ્રવેશ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર
આ પક્ષપલટાને સફળ બનાવવામાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. તેમણે ચેતનસિંહના ભાજપ પ્રવેશ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું, જેણે કોંગ્રેસના મૂળિયાં હચમચાવી દીધા છે.
