ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનું સંગઠન સંપૂર્ણપણે વિખેરાઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના દિવસે જ કોંગ્રેસના 67 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
કોંગ્રેસ પર લોભ-લાલચના આક્ષેપ
મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે હવે મેદાનમાં ઉતારવા માટે કોઈ મજબૂત ઉમેદવાર બચ્યા નથી. કોંગ્રેસ માત્ર લોભ અને લાલચ આપીને લોકોને મેદાનમાં ઉતારે છે, પરંતુ જનતા અને કાર્યકરોનો વિશ્વાસ ભાજપ પર છે.
