રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં મોટું પ્રભુત્વ ધરાવતા લોહાણા સમાજમાં ભાજપ દ્વારા કરવામાં આવેલી ટિકિટ ફાળવણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોહાણા સમાજની પત્રિકા અને આમંત્રક કાર્ડ વાયરલ થતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.
શું છે નારાજગીનું મુખ્ય કારણ?
વાયરલ થયેલી પત્રિકામાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપે લોહાણા સમાજ સાથે અન્યાય કર્યો છે. આ વખતે ભાજપ દ્વારા લોહાણા સમાજની ત્રણ મહિલાઓને તો ટિકિટ આપવામાં આવી છે, પરંતુ એક પણ પુરૂષ ઉમેદવારને તક આપવામાં આવી નથી. સમાજનું માનવું છે કે અગ્રણી પુરૂષ કાર્યકરોની અવગણના કરીને ભાજપે જ્ઞાતિ સમીકરણોમાં અન્યાય કર્યો છે.













