• ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI સિરીઝ રમશે
  • આ સિરીઝ માટે BCCIએ ટીમની જાહેરાત કરી છે
  • સૂર્યકુમાર યાદવને T20ની કમાન સોંપવામાં આવી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે.આ સિરીઝમાં ભાગ લેનારી ભારતીય ટીમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. આખરે, સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમની T20ની કમાન સોંપવામાં આવી છે. જ્યારે એક સમયે T20 વર્લ્ડકપમાં રોહિતની નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યા કેપ્ટનશિપની રેસમાં આગળ હતો.એવું તો શું થયું કે T20 વર્લ્ડકપ 2024માં જે ખેલાડી વાઈસ કેપ્ટન હતો, તેની જૂની જવાબદારી પણ છીનવાઈ ગઈ હતી.

સૂર્યકુમાર યાદવ T20નો નવો કેપ્ટન

BCCIની બે દિવસીય ઓનલાઈન મીટિંગની વિગતો પ્રાપ્ત થઈ છે, જેમાં સૂર્યકુમાર યાદવ કેવી રીતે કેપ્ટન બન્યો તેનું કારણ સામે આવ્યું છે. શુભમન ગિલ આ રેસમાં કેવી રીતે આવ્યો? સૂર્યાને કેપ્ટન બનાવવામાં ત્રણ લોકોની મંજૂરી ખૂબ જ જરૂરી હતી. જેમાં રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરનો સમાવેશ થાય છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 અને ODI ટીમની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી માટે BCCIની બે દિવસ સુધી બેઠક મળી હતી.આ મીટિંગમાં ભારતીય T20 વર્લ્ડકપ ટીમના કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર હાજર હતા.

શા માટે હાર્દિકને હટાવાયો

સૂત્રએ જણાવ્યું કે આ મીટિંગ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યા T20માં પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે, પરંતુ જેવી માહિતી સામે આવી કે તે વનડેમાં રમવા માંગતો નથી, જેનું કારણ અંગત કારણ તરીકે આપવામાં આવ્યું હતું. આ પછી નક્કી થયું કે ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવશે. એક અહેવાલ અનુસાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સૂર્યકુમાર યાદવ અંગે સહમત હતા. બાદમાં જ્યારે ગૌતમ ગંભીરને કેપ્ટનશિપના દાવેદાર વિશે પૂછવામાં આવ્યું તો તેણે સૂર્યાનું નામ સૂચવ્યું હતું. ખેલાડીઓ તરફથી મળેલો પ્રતિસાદ પણ સૂર્યકુમાર યાદવની તરફેણમાં ગયો હતો.

પસંદગીકારોને BCCI તરફથી મળ્યો પૂરો સાથ

ઓનલાઈન મીટિંગ થઈ ત્યારે તેમાં BCCI સેક્રેટરી પણ હાજર હતા. પરંતુ 18 જુલાઇએ જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તે મીટિંગમાં હાજર ન હતા. આ બેઠકમાં એક વખત પસંદગીકારોને પણ કહ્યું હતું કે ટીમની પસંદગીનો અધિકાર માત્ર તેમને જ હશે.

શુભમન ગિલ કેમ બન્યો વાઇસ કેપ્ટન?

હાર્દિકે હાલમાં ODIમાં રમવાનો ઇનકાર કર્યો હોવાથી BCCIએ ભવિષ્ય માટે શુભમન ગિલને કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. તેનું એક કારણ તેની ઉંમર છે. વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા હાલમાં 37 વર્ષનો છે. નવા T20 કેપ્ટન સૂર્યાની ઉંમર 33 વર્ષ છે. દરમિયાન, શુભમન ગિલ હાલમાં 24 વર્ષનો છે. આવી સ્થિતિમાં ગિલ પાસે કેપ્ટનશિપને ધ્યાનમાં રાખીને વધુ પરિપક્વ બનવાની તક છે.

હવે સવાલ એ છે કે શુભમન હાર્દિક અને પંત જેવા અન્ય ઘણા ખેલાડીઓથી આગળ નીકળી ગયો અને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન બન્યો, જેનું કારણ કાર અકસ્માત બાદ રિષભ પંતની વાપસી અને પંડ્યાની ફિટનેસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ગિલનું નામ વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ગિલની કેપ્ટનશીપમાં જ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરીઝ 4-1થી જીતી હતી. આ સિરીઝની 5 મેચમાં ગિલે 42.50ની એવરેજથી 170 રન બનાવ્યા છે.

  • Follow us on: