- થોડા દિવસો પહેલા વિરાટ વિશે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો
- ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે અહેવાલ પર કર્યો ખુલાસો
- વિરાટ કોહલીને વિશે બધા જે વાતો કરી રહ્યાં છે તે બકવાસ છે
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી ભારતના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. થોડા દિવસો પહેલા વિરાટ વિશે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો કે વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન નહીં મળે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ આ બધી બાબતોથી ખુશ નથી. ફિન્ચે કહ્યું છે કે શા માટે વિશ્વ કપ માટે વિરાટ કોહલી વિશે ચર્ચા થઈ રહી છે.એરોન ફિન્ચે એક ઇન્ટરવ્યું દરમિયાન કહ્યું,મને સમજાતું નથી કે જ્યારે ICC ઇવેન્ટ આવી રહી છે ત્યારે લોકો વિરાટ કોહલી વિશે કેમ વાત કરી રહ્યા છે. જો વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળશે કે નહીં તે નક્કી નથી. તો આ સૌથી મોટી બકવાસ છે. મેં આ ઘણી વખત સાંભળ્યું છે. આ ખરેખર બકવાસ છે.
વિરાટ ફોર્મમાં છે













