શાકિબ અલ હસનને નિવૃત્તિ જાહેર કર્યાને માત્ર 2 અઠવાડિયા જ થયા છે. હવે તેના પછી મહમુદુલ્લાહ પણ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ ટી20 સિરીઝ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના એક અધિકારીએ દાવો કર્યો છે કે મહમુદુલ્લાહ ભારત-બાંગ્લાદેશ T20 સિરીઝ બાદ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.


મહમુદુલ્લાહ લેશે સંન્યાસ!

મહમુદુલ્લાહે ટી20 વર્લ્ડકપ 2024 પછી એકપણ ટી20 મેચ રમી નથી, પરંતુ તે 6 ઓક્ટોબરથી ભારત સામે શરૂ થઈ રહેલી સિરીઝમાં પરત ફર્યો છે. હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મહમુદુલ્લાહ કોઈ બ્રેક નથી લઈ રહ્યો પરંતુ તે પોતાની T20 કારકિર્દીનો અંત લાવવા માંગે છે. તે ભારત સામેની વર્તમાન સિરીઝ દરમિયાન અથવા તેની સમાપ્તિ પછી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

શાકિબ અલ હસને નિવૃત્તિની જાહેરાત કરી

થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેણે એમ પણ કહ્યું કે જો તેને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં રમવાની તક મળશે તો તે લાંબા ફોર્મેટમાં તેની છેલ્લી મેચ હશે. જો શાકિબ તે મેચ ન રમ્યો તો તેણે ભારત સામેની કાનપુર ટેસ્ટને તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ ગણવાની વાત કરી.

મહમુદુલ્લાહની શાનદાર કારકિર્દી

મહમુદુલ્લાહ ભારત સામેની પ્રથમ T20 મેચમાં માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. વેલ, જો આપણે તેની કારકિર્દી પર નજર કરીએ તો, ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવીને, તેણે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 139 મેચ રમી, જેમાં તેના નામે 2,395 રન છે. તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 40 વિકેટ પણ લીધી છે. તેણે લગભગ 17 વર્ષથી T20 ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.


  • Follow us on: