- ઈશાન કિશનની બેવડી સદી બાદ કાર્તિકનું મોટું નિવેદન
- શિખર ધવનની કારકિર્દીનો જલ્દી અંત આવી શકે છે: કાર્તિક
- શુભમન ગિલ-ઈશાન કિશન ધાવનું સ્થાન લેવા અગ્રેસર
ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. માનવામાં આવે છે કે આ સાથે જ સિનિયર ઓપનર શિખર ધવનની કારકિર્દીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. ધવને આ સિરીઝમાં 7, 8 અને 3 રન બનાવ્યા હતા અને ભારત 1-2થી શ્રેણી હારી ગયું હતું. નિયમિત કેપ્ટન અને ઓપનર રોહિત શર્માના ઈજાગ્રસ્ત થયા બાદ ઈશાન કિશનને તક મળી અને તેણે તેનો લાભ ઉઠાવતા શાનદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી.
ધવનની શાનદાર વનડે કારકિર્દીનો અંત!
ટીમ ઈન્ડિયાના સિનિયર વિકેટકીપર દિનેશ કાર્તિકનું માનવું છે કે ઈશાન કિશનની બેવડી સદી બાદ શિખર ધવનની શાનદાર કારકિર્દીનો દુઃખદ અંત થવા જઈ રહ્યો છે. કિશન અને ગિલ જેવા યુવા ખેલાડીઓના વર્તમાન ફોર્મ વિશે વાત કરતાં તેણે કહ્યું કે આ ધવનની શાનદાર ODI કારકિર્દીનો અંત થઈ શકે છે. શ્રીલંકા શ્રેણી માટે ધવન ક્યાં છે? તે જોવાનું રસપ્રદ રહેશે કે તે ઇશાન કિશનને કેવી રીતે પાછળ છોડે છે.

કાર્તિકે શુભમન-ઇશાનની પ્રશંસા કરી
ડીકેએ કહ્યું- શુભમન ગિલ ખૂબ સારું કરી રહ્યો છે. જો રોહિત શર્મા ઉપલબ્ધ છે તો જો કોઈને પડતો મૂકવામાં આવે છે તો તે માત્ર ધવન જ હોઈ શકે છે. આ એક શાનદાર કારકિર્દીનો દુઃખદ અંત હોઈ શકે છે. પરંતુ નવા પસંદગીકારોએ કેટલાક પ્રશ્નોના જવાબ આપવા જ પડશે.
ODI વર્લ્ડ કપ અંગે કાર્તિકનું નિવેદન
2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ અંગે કાર્તિકે કહ્યું કે, ધવનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. તેણે કહ્યું- રસપ્રદ વાત એ છે કે જો શુભમન ગિલ ટીમનો હિસ્સો હોત, તો તેણે કદાચ ઓપનિંગ કર્યું હોત, કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી આત્મવિશ્વાસ સાથે રમી રહ્યો છે. ઈશાન કિશનને તક આપવામાં આવી હતી અને તેનો તેણે ધમાકેદાર ઇનિંગ રમી ફાયદો ઉઠાવ્યો છે.

ODIમાં ધવનનું સ્થાન ખતરામાં
ટેસ્ટ અને T20 બંને માટે સાઇડલાઇન થયા બાદ ધવન ભારતના ODI સેટઅપનો ભાગ છે. તેણે 50 ઓવરના ફોર્મેટમાં કેટલીક વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી છે, પરંતુ તેના ખરાબ ફોર્મને કારણે હવે ટીમમાં તેનું સ્થાન ગુમાવી રહ્યું છે.