- પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી
- વિનેશે તેને સિલ્વર મેડલ અપાવવા માટે CASને અપીલ કરી હતી
- હવે CSA આ મામલે 11 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે
પેરિસ ઓલિમ્પિક 2024માં, ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ મહિલા ફ્રીસ્ટાઈલ કુસ્તીની ફાઈનલ પહેલા 100 ગ્રામ વજન વધવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે બાદ વિનેશ તરફથી સિલ્વર મેડલને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ દાખલ કરવામાં આવી હતી. વિનેશનો કેસ વકીલ હરિસ સાલ્વે લડી રહ્યા છે.
રમતગમતની આર્બિટ્રેશન કોર્ટ CAS એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે નિર્ણય 11 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે, એટલે કે વિનેશે વધુ 24 કલાક રાહ જોવી પડશે.
11 ઓગસ્ટે આવશે નિર્ણય
જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે વિનેશ ફોગાટના અયોગ્યતાના કેસનો નિર્ણય 11 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે આવશે. તમને જણાવી દઈએ કે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ વિનેશ ફોગાટને 50 કિગ્રા કેટેગરીની મહિલા કુશ્તીની ફાઈનલ મેચ પહેલા અયોગ્ય ઠેરવી દીધી હતી કારણ કે તેનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ ફોગાટ અને UWW બંનેને તેમના વકીલો પસંદ કરવાની તક આપવામાં આવી હતી.
7 ઓગસ્ટે કરી હતી અપીલ
વિનેશે 7 ઓગસ્ટે પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી હતી અને ગયા શુક્રવારે થયેલી સુનાવણીમાં તે પોતે હાજર રહી હતી. પહેલા ફ્રેન્ચ વકીલોએ ભારતીય કુસ્તીબાજ વતી દલીલો રજૂ કરી, ત્યારબાદ UWW વકીલોએ પણ તેમનો પક્ષ રજૂ કર્યો. આ પછી સેનેટર એડવોકેટ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાએ પણ આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘ વતી દલીલો રજૂ કરી હતી.