- ICC ટી20 વિશ્વ કપના નોક આઉટ 9 નવેમ્બરથી શરૂ થશે
- મેચ વરસાદના કારણે બગડે તો 1-1 અંક ટીમમાં વહેંચાશે
- સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડેને રખાયો છે
ICC ટી20 વિશ્વ કપમાં આ વખતે મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. અનેક એવી મેચ જોવા મળી રહી છે જેને વરસાદની અસર જોવા મળી છે. ગ્રૂપની સરખામણીએ ખતમ થયા બાદ વરસાદ નોકઆઉટ મેચને નુકસાન ન થાય તેના માટે આઈસીસીએ દર વખતે આ વખતે પણ વ્યવસ્થા કરી છે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચને વરસાદ બર્બાદ ન કરી શકે અને સાથે તેની મજા ન બગડે તે માટે આઈસીસીની યોજના પાક્કી છે.
જાણો કઈ ટીમોને વરસાદના કારણે થયું નુકસાન
ટૂર્નામેન્ટના સુપર 4માં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની મેચને વરસાદના કારણે નુકસાન સહન કરવું પડ્યું અને ટીમ વર્લ્ડ કપથી બહાર થઈ. ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ પણ વરસાદના કારણે થઈ શકી ન હતી. અફઘાનિસ્તાન અને આયરલેન્ડની મેચ પર પણ પાણી ફરી ગયું. આ સાથે જ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની સાથેની મેચ પણ વરસાદના કારણે રમાઈ નથી. ગ્રૂપની મેચ માટે આઈસીસી મેચ વરસાદના કારણે ખરાબ થવા પર 1-1 અંક ટીમમાં વહેંચી દે છે. પરંતુ નોક આઉટમાં એવું નહીં કરી કરી શકાય તે કારણે આ મેચને રિઝર્વ ડે પર રાખી શકાય છે.
વરસાદને માટે આઈસીસીની યોજના
ટૂર્નામેન્ટમાં વરસાદ જો નોટ આઉટ મેચના સમયે થાય છે તો તેને માટે આઈસીસીએ દર વખતની જેમ એક અલગ દિવસ રાખ્યો છે. સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. તેનો મતલબ જો પહેલા દિવસે મેચ નહીં થાય તો અન્ય દિવસે રખાશે. જો કોઈ કારણોસર બીજા દિવસે પણ મેચ નહીં રમાય કે તેની શક્યતા ઓછી હશે તો પછી નિયમોના આધારે ટીમ આગળ કરાશે.
જાણો શું કહે છે રિઝર્વ ડેનો નિયમ
આઈસીસી ટૂર્નામેન્ટમાં નોક આઉટના સમયે વરસાદ વિઘ્ન નાંખશે તો એક દિવસ બાદ ખતમ કરવાનો સમય રહેશે. જો પહેલા દિવસે મેચના સમયે વરસાદ થાય છે અને તેને પૂરી નહીં કરી શકાય તો આવનારા દિવસે તે જ સ્કોરની સાથે તેને પૂરી કરાશે. જો વરસાદના કારણે બંને દિવસે મેચ પૂરી નહીં કરી શકાય તો તેને રદ્દ કરવી પડે તેવી સ્થિતિમાં ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમ આગળ વધે છે.