ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ તાજેતરમાં જ સમાપ્ત થયો હતો જેમાં તે 5 મેચની ટેસ્ટ સિરીઝ 2-2 થી ડ્રો કરવામાં સફળ રહી હતી. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન તેમજ ઝડપી બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જેમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે સૌથી વધુ ઈમ્પ્રેસ કર્યા હતા.


ઈંગ્લેન્ડ પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ જસપ્રીત બુમરાહ વિશે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તે ફક્ત ત્રણ ટેસ્ટ મેચમાં જ રમશે જેથી તેના વર્કલોડને મેનેજ કરી શકાય. જસપ્રીત બુમરાહએ ટીમ મેનેજમેન્ટને આને લઈને પહેલાથી જ જાણ કરી દીધી હતી. હવે અજિંક્ય રહાણેએ તેના નિર્ણય બદલ તેની પ્રશંસા કરી છે.

જસપ્રીત બુમરાહને લઈને કહી આ વાત

જસપ્રીત બુમરાહને લઈને અજિંક્ય રહાણેએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે જસપ્રીત બુમરાહ શરૂઆતથી જ ઘણી સ્પષ્ટતા રાખતો હતો, જે મને સૌથી વધુ ગમ્યું. સિરીઝ શરૂ થાય તે પહેલાં જ તેને કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કરી દીધું હતું કે તે પહેલી અને ત્રીજી ટેસ્ટ સહિત ત્રણ ટેસ્ટ મેચ રમવા માટે ઉપલબ્ધ રહેશે.

કેપ્ટન માટે આ ખૂબ જ સારી વાત હોત કારણ કે તેનાથી તેના માટે નિર્ણય લેવાનું સરળ બને છે. ભારત માટે રમતી વખતે ખેલાડી માટે આવો નિર્ણય લેવો સૌથી મુશ્કેલ કાર્ય છે કારણ કે તેના કારણે ઘણા ખેલાડીઓ ટીમમાંથી બહાર પણ થઈ જાય છે.

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસમાં લીધી કુલ 14 વિકેટ

ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝમાં જસપ્રીત બુમરાહે પહેલી, ત્રીજી અને ચોથી મેચ રમી હતી, જેમાં તે ત્રણેય મેચમાં 26 ની એવરેજથી 14 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં કુલ 119.4 ઓવર ફેંકી હતી જેમાં તે બે વાર ઈનિંગમાં 5 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.


  • Follow us on: