એશિયા કપ 2025ની ફાઇનલ મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહી હતી. જોકે, ભારતની બેટિંગ દરમિયાન ફાઈનલ મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી અને ફેન્સ હવે તેની પાછળનું કારણ જાણવા માટે ઉત્સુક છે.


ફાઈનલ મેચ અધવચ્ચે જ કેમ રોકી દેવામાં આવી?

જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી, ત્યારે ત્રીજી ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી. ફોર્મમાં રહેલા અભિષેક શર્મા વહેલા આઉટ થયા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ વહેલા આઉટ થયા. બીજી ઓવરના પાંચમા બોલ પછી ફાઈનલ મેચ રોકી દેવામાં આવી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની લાઈટ્સ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ, જેના કારણે મેચ અટકી ગઈ. જોકે, સ્ટાફે ઝડપથી લાઈટ્સ પુનઃસ્થાપિત કરી, જેનાથી મેચ ફરી શરૂ થઈ. એશિયા કપ ફાઈનલમાં બનેલી આ ઘટના એશિયન ક્રિકેટ કાઉન્સિલ પર પ્રશ્નો ઉભા કરી રહી છે.

ટીમ ઈન્ડિયાએ મેચમાં શાનદાર વાપસી કરી

ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધા પછી પાકિસ્તાની ટીમે સારી શરૂઆત કરી. પાકિસ્તાન મોટા સ્કોર માટે તૈયાર દેખાતું હતું, પરંતુ ભારતના બોલરોએ શાનદાર વાપસી કરી અને તેમને ફક્ત 146 રન પર રોકી દીધા. જવાબમાં ભારત ત્રણ વિકેટે માત્ર 20 રનમાં સમેટાઈ ગયું હતું. તિલક વર્માએ સંજુ સેમસન અને બાદમાં શિવમ દુબે સાથે શાનદાર ભાગીદારી કરી, જેનાથી ભારતને મજબૂત વાપસી કરવામાં મદદ મળી.

આ પછી તિલક વર્માએ જવાબદારી સંભાળી અને અડધી સદીની ઈનિંગ રમી. તિલક 53 બોલમાં 69 રનની અણનમ ઈનિંગ રમી અને પાકિસ્તાનને હરાવ્યું. આ સિવાય સંજુ સેમસન 24 રન અને શિવમ દુબે 33 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી.


  • Follow us on: